મોરબીના હરીપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદ પૂરા થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાય રહેતા સ્થાનિકો થયા ત્રસ્ત. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત માં જણાવ્યું હતું કે ભગવતી પાર્ક પાછળ આવેલ હરીપાર્ક સોસાયટી, જેમાં વરસાદી પાણી ઘણા સમયથી ભરાય રાહે છે. વરસાદનાં નિકાલનો રસ્તો અમુક લોકો દ્વારા જાણીજોઈને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાં પાક્કી દિવાલ પણ કરી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. ત્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત પાણીને કેનાલ બાજુ વાળવા માટેની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...