મોરબીના હરીપાર્ક વિસ્તારમાં વરસાદી પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. વરસાદ પૂરા થયા બાદ પણ ઘણા દિવસો સુધી પાણી ભરાય રહેતા સ્થાનિકો થયા ત્રસ્ત. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત માં જણાવ્યું હતું કે ભગવતી પાર્ક પાછળ આવેલ હરીપાર્ક સોસાયટી, જેમાં વરસાદી પાણી ઘણા સમયથી ભરાય રાહે છે. વરસાદનાં નિકાલનો રસ્તો અમુક લોકો દ્વારા જાણીજોઈને બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત ત્યાં પાક્કી દિવાલ પણ કરી દેવામાં આવી છે જેના કારણે પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. ત્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત પાણીને કેનાલ બાજુ વાળવા માટેની વ્યવસ્થા કરવા માટે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...