હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સરપંચને તેમના જ કૌટુંબિક કાકાના દીકરાએ છરીના ઘા ઝીકયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આથી ગંભીર રીતે ઘવાયેલા સરપંચને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે. આ બનાવ અંગે પાણી કાઢવાની ના પાડતા અને જૂનું મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
હળવદ પોલીસ મથકેથી આ હુમલાના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામના સરપંચ વશરામભાઈ મૂળજીભાઈ સોલંકીએ તેમના જ કૌટુંબિક કાકાના દીકરા શૈલેષભાઈ હરિભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સરપંચ વશરામભાઈ સોલંકીએ પાણી કાઢવાની ના પાડતા આરોપી શૈલેષભાઈ હરિભાઈ સોલંકીની કમાન છટકી હતી અને પાણી કાઢવાની ના પાડવા ઉપરાંત જૂનું મનદુઃખનો ખાર રાખી ઉશ્કેરાયેલા શૈલેષભાઈ હરિભાઈ સોલંકીએ સરપંચ વશરામભાઈ સોલંકી ઉપર છરી અને લોખડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા સરપંચ પ્રથમ હળવદ બાદ મોરબી અને ત્યાંથી વધુ સરકાર માટે રાજકોટ ખસેડયા છે. તેઓએ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...