વૈશ્વિક બજારમાં હાલ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ગગડી રહ્યો છે. હાલ એક ડોલર સામે ભારતીય રૂપિયાનો ભાવ ૮૦ રૂપિયા થવા આવ્યો છે. ત્યારે આવા સમયે ભારતીય રૂપિયાને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના ધંધાર્થીઓ હવે વૈશ્વિક બજારમાં ભારતીય રૂપિયામાં ટ્રેડ કરી શકશે એટલે કે ટ્રેડ ઇન્વોઇસ ભારતીય નાણાં (INR) માં બનાવી શકાશે અને ફાઇનલ સેટલમેન્ટ પણ ભારતીય રૂપિયા(INR) મા કરી શક્શે. જેના કારણે દેશના આર્થ તંત્રને તેમજ વૈશ્વિક સ્તર પર વ્યવસાય કરતા વેપારીઓને ઘણા ફાયદા થવાના છે.
શું શું ફાયદાઓ થશે ?
(૧) ભારતીય રૂપિયામાં (INR) મા ટ્રેડ ઇનવોઇસ બનાવવાથી વેપારીઓને બીજી કરન્સી સામે રૂપિયાના કિંમતમાં થતાં વ્યવહારમાં મદદ મળશે.
ઘણી વાર વ્યાપાર કર્યો હોઈ (૧ ડોલર = ૭૮) રૂપિયામાં પરંતુ ફાઇનલ સેટલમેન્ટ સમયે ડોલર નો ભાવ વધી જાય તો સેટલમેન્ટ ઉચા ભાવ પર કરવો પડે છે. પરંતુ હવે ભારતીય રૂપિયામાં ટ્રેડ શક્ય હોવાથી આ મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડશે.
(૨) વ્યવસાય કરતા દેશ પર જો અમુક પ્રતિબંધો લગાવવામાં આવે ત્યારે વ્યવસાય અટકતો નથી.
દા.ત. રશિયા પર હાલ મોટા ભાગના પશ્ચિમ દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે. અને હાલ મોટાભાગનો વૈશ્વિક વ્યાપાર ડોલરમાં થઈ છે. પરંતુ જો એ ટ્રેડ ભારતીય રૂપિયા(INR) માં થવા લાગે તો વ્યાપારીઓને પ્રતિબંધનો સામનો કરવો પડતો નથી.
(૩) ભારતીય રૂપિયો મજબૂત થવાની શક્યતા.
સામાન્ય માંગ અને પુરવઠાના નિયમ મુજબ, જો ભારતીય રૂપિયા(INR)મા વ્યાપાર થશે તો સામે વ્યાપાર કરતા અન્ય દેશના વ્યાપારીઓ ફાઇનલ સેટલમેન્ટ માટે તેમની બેંક પાસે ભારતીય રૂપિયા (INR) ની માંગ કરશે જેના કારણે રૂપિયાનો ભાવ વધવાની શક્યતા છે.
મોરબી નજીક વાંકાનેર તાલુકામાં કોઠારીયા ગામ સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત ડોર્મિટરી તથા સ્ટાફ ક્વોટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ સોમાણીએ જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,...
આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ પોલ, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ ટીમની વ્યવસ્થા સહિતની આનુસંગિક વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવનાર છે,...
મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન, જળસંપતિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ, શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધાઓ જેવી કે રોડ,...