સમગ્ર મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર કાર્યક્રમમો યોજાયા
સમગ્ર રાજ્યમાં ગુજરાતની ધરા પર બે દાયકામાં થયેલ વિકાસ કામોની ઝાંખી કરાવતી રાજ્ય વ્યાપી વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન પાંચ થી ૨૨ જૂન દરમિયાન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મોરબી જિલ્લામાં બે વિકાસયાત્રા રથ દ્વારા વિવિધ જનહિતની યોજનાઓનો લાભ લોકોને ઘર બેઠા આપવામાં આવ્યા હતા. સમગ્ર મોરબી જિલ્લામાં ૫૪ સ્થળો પર યોજાયેલા કાર્યક્રમમોમાં બહોળી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા.
વંદે ગુજરાત વિકાસયાત્રા હેઠળ મોરબી જિલ્લાના ગામે ગામ યોજાયેલા ૫૪ જેટલા કાર્યક્રમો થકી સી.સી.રોડ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટર, કચરાના વ્યવસ્થાપન માટે ટ્રેક્ટર, પાણીની લાઈન, ક્રિકેટ ગ્રાઉન્ડ, બગીચાઓ સહિત ૬૩ ખાતમૂહુર્ત, ૬૭ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૩ નવા કામોની જાહેરાત પણ આ સંદર્ભે કરવામાં આવી હતી.
આમ, વંદે ગુજરાત વિકાસયાત્રા હેઠળ સમગ્ર મોરબી જિલ્લામાં ૧.૫ કરોડ રૂપિયાની માતબર રકમના ખાતમૂહુર્ત અમે લોકાર્પણ કરી પ્રજાજનોને વિકાસકાર્યોથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા
માળિયા મીયાણામા પ્રોહીબીશન ગુન્હામા સંડોવાયેલ બે ઇસમોને ડીટેઇન કરી પાસા હેઠળ ભાવનગર-જુનાગઢ જેલ હવાલે માળીયા મીયાણા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયર કરી મોકલતા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે ઇસમોને...
માળિયા મીયાણા શહેરમાં પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલની દુકાનમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને માળીયા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે ખાનગી રાહે બાતમી મળેલ કે, પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઇલની દુકાનમાં ચોરીને અંજામ આપનાર ઇસમ માળીયા (મીં) ખાતે મોબાઇલ...
મોરબી શહેરમાં સંત શિરોમણી શ્રી રોહીદાસ બાપુજીની ૬૪૯મી જન્મજયંતી નિમિત્તે વિવિધ વિસ્તારોના રહીશો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોહીદાસ પરા, આંબેડકર કોલોની, ગુજરાત સોસાયટી, ભીમરાવ નગર, વિજયનગર તથા શાંતિવન સોસાયટીના રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ શોભાયાત્રાનું પ્રસ્થાપન વીસી ફાટક ખાતેથી કરવામાં આવ્યું હતું, જે મોરબી...