ચાલો સાથે મળીને ભારત ની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરીએ,દેશ ની આઝાદી નો અમૃત મહોત્સવ મનાવીએ.
દેશની આઝાદીને 75 વર્ષ પુરા થઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી હરઘર તિરંગા અભિયાનની જાહેરાત કરેલ છે. જે અભિયાન અંતર્ગત જેતપરની તપોવન વિદ્યાસંકુલનાં ધો- 1થી 5 ના ભૂલકાઓ દ્વારા હર ઘર તિરંગા અભિયાનમાં લોકોને જોડાવવા, દરેક લોકો સુધી રાષ્ટ્રભાવના નો સંદેશ પહોંચાડવા તથા રાષ્ટ્ર પ્રેમને ઉજાગર કરવા તેમજ દરેક લોકો માં દેશપ્રેમ જગાડવા માટેની રાષ્ટ્રીય પ્રવુતિ કરી હતી.
આ રાષ્ટ્રીય પ્રવૃત્તિ માં બાળકોને ભારત ની આઝાદી દરમિયાન બનેલ દરેક ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક ઘટનાઓ અને આઝાદી માં અમૂલ્ય ફાળો આપનાર મહાન લડવૈયાઓનો પરિચય પણ કરાવવામાં આવ્યો હતો.જેથી ભારત નું યુવાધન આપણા દેશ ના અમૂલ્ય વારસા થી પરિચિત થાય તેમજ આઝાદી નું મૂલ્ય સમજી શકે અને આઝાદી નું જતન કરવાનો ગુણ કેળવાય.
તપોવન વિદ્યાસંકુલ ના દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક કાર્ય કરીને રાષ્ટ્રભક્તિ નું ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું હતું.
માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૧૫૮૩૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાખરેચી ગામના શ્રી સ્વામીનારાયણનગર વિસ્તારમા આવતા ખુલ્લા મેદાનમા અમુક માણસો જાહેરમાં બેસી ગોળ કુંડાળુ વળી હારજીતનો તીનપતીનો રોનનો...
મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી માળિયા (મીં) નેશનલ હાઇવે રોડ પરથી રૂપિયા ૬૯૦૫૦ નો મુદામાલ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયે બસ સ્ટેન્ડ પાસે મોરબી થી માળીયા (મી) નેશનલ હાઇવે ઉપરથી એક ઇસમ ઇગ્લીશ દારૂનો...