રક્ષાબંધનના આ શુભ પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલય મોરબી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયા સાહેબની પ્રેરણાથી એક આગવી સૂઝ – બૂઝ સાથે અને કંઈક નવું કરવાના ઉત્કૃષ્ટ ભાવ સાથે જે પર્વની ગરિમાને હંમેશા આત્મસાત કરતી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ચેતના સાથેનો જે આયામ નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ સમગ્ર સ્ટાફ અંતર્ગત એક રાખડી બાંધવાના વિશિષ્ટ આયોગ અને સુયોગ સાથે જે આજરોજ મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનને વધુ પ્રબળ બનાવતા સંસ્કૃતિને ઉજાગર કરી પર્વને સાર્થક કરતા નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ એક અનોખી રીત સાથે આગવી પ્રેરિત ભાવના સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.
ત્યાર બાદ PI પંડ્યા સાહેબ તેમજ ASI ભટ્ટી ભાઈ એ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પરના તમામ બનાવોથી વાકેફ કરી FRI થી માંડીને લોકઅપ ને લગતી રોચક માહિતી તેમજ સોશિયલ મીડિયા ક્રાઇમ અંતર્ગત લાઈવ માર્ગદર્શન લક્ષી વક્તવ્ય આપ્યું હતું અને અંતમા વિદ્યાર્થિનીઓને મીઠાઈ અને ચોકલેટ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...