મોરબી સહીત દેશના અલગ અલગ 25 સ્થળ પર છેલ્લા ત્રણ દિવસથી ચાલી ક્યુટોન ગ્રુપના પ્રમોટર જગદીશ દાલસાણીયા, મનોજ અગ્રવાલ, રાજીવ અદાલખ, સુનિલ મંગનુંલિયા સહિતના માલિકના રહેણાંક મકાન સહિત અનેક સ્થળ પર દરોડા પૂર્ણ દરોડા દરમ્યાન કોલકત્તા ની પાર્ટી ને 50 કરોડ રોકડા આપી 50 કરોડનો ચેક લીધાનું સામે આવ્યું રૂ. 50 કરોડની એન્ટ્રી અંગે કોલકતા ની પાર્ટી જ કબૂલાત કરી રૂ 1 કરોડ રોકડ રકમ તેમજ 2 કરોડની કિંમતના દાગીના મળી આવ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા હતા ક્યુટોન ગ્રૂપ દ્રારા અન્ડર ઇનવોઈસ કરી મોટી રકમની આવકની ચોરી કરી હોવાનું દરોડા માં સામે આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં અન્ડર બિલીંગ ઈનવોઈસ કરી જીએસટી ની ચોરી પણ ખુલે તેવી સંભાવના છે
સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્કમ ટેક્સની રેડ બાદ હવે ક્યુટોન ગ્રૂપને જીએસટીનો પણ સામનો કરવો પડી શકે છે ક્યુટોન ગ્રુપની કંપનીઓ રોકડના વેચાણના અને ચેકથી વેચાણના અલગ અલગ ચોપડા બનાવતી હોવાનું પણ ઇન્કમટેક્ષ ની તપાસમાં સામે આવ્યું છે જેથી અલગ અલગ યુનિટ પરથી આવા રોકડ વહીવટ અંગેના હિસાબી ચોપડા હાથે લાગ્યા છે ગ્રુપની રોકડની લેવડદેવડ મોટી હોવાથી ચોરી 250 કરોડથી પણ વધી જવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે રોકડ વ્યવહારમાં ફાઇનાન્સરો પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે ક્યુટોન ગ્રુપ સાથેના તાર રાજકીય પક્ષના નેતાઓ અને અભિનેતા સુધી લંબાયા હતા જેથી રોકડથી નાણાં લેનાર કે ચૂકવનાર ને પણ દંડને પાત્ર હોવાથી ફાઇનાન્સરોની કુંડળી કાઢવામાં આવી રહી છે .
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે...
વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા...