મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળામાં આ.શિ. તરીકે ફરજ બજાવતા વિજયભાઈ દલસાણીયાની રાજ્ય પારિતોષિક 2022 માટે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતાં મોરબી જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
વિજય દલસાણીયાને અગાઉ પણ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ, મંથન ગ્રુપ મારફત રાષ્ટ્રીય એવોર્ડ અને અત્યાર સુધીમાં 18 જેટલાં સન્માન પ્રાપ્ત થયા છે.
વિજયભાઈ દલસાણીયાએ બાળકોના સર્વાંગી વિકાસ માટે વર્ગખંડ અને શાળામાં અનેક પ્રવૃત્તિઓ કરાવી છે. મૂલ્યલક્ષી શિક્ષણ, બાળકોની વિચારશક્તિ વિકસે, કલ્પનાશક્તિ ખીલે, તર્કશક્તિ ખીલે તે માટે અત્યાર સુધીમાં રિસેસમાં 900 જેટલી પ્રવૃત્તિઓ કરાવીને બાળકોના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.તદુપરાંત બાળકોની માતૃભાષા શુદ્ધ બને તે માટેના પણ અનેક પ્રયત્નો કર્યા છે. વર્ગખંડમાં આનંદદાયી શિક્ષણ માટે અનેક શૈક્ષણિક સાધનોનું નિર્માણ કરીને તેના મારફત શિક્ષણ આપવું એ વિજયભાઈ દલસાણીયાની એક આગવી વિશેષતા રહી છે. રોજેરોજની પોતે કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ફેસબુકના માધ્યમથી રજૂ કરીને તેઓ રિસેસની પ્રવૃત્તિઓ થકી શિક્ષણજગત અને સમાજમાં ખૂબ જ લોકપ્રિય બન્યાં છે. તેમજ અનેક શિક્ષકો માટે પ્રેરણારૂપ બન્યાં છે.
મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં વધુને વધુ જનભાગીદારી થાય તથા સધન ઝુંબેશ થાય તેવા...
ભુલકાઓના ચહેરા પણ આ ઉપહાર મેળવી તાજા ફુલોની જેમ ખીલી ઉઠ્યા.
કોઈ બાળકો જમીન પર બેસી પોતાના લેશન કરી રહ્યા હોય, વાંચી રહ્યા હોય અને શારીરિક માનસિક હતાશા અનુભવી રહ્યા હોય અને તેઓને એકાએક અન્ય સુખી સંપન્ન બાળકો જેવી લખવા વાંચવાની સુવિધા મળી જાય પછી તો ભલા પુછવું જ શું?
આવો...
માળીયા મીંયાણા તાલુકાના માણાબા ગામના પાદરમાં આવેલ તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ માળિયા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સિમ્પલો કારખાનામાં રહેતા બળવંતભાઈ કેશરાભાઇ બારીયા (ઉ.વ.૩૧) નામનો યુવક કોઈ અગમ્ય કારણોસર માણાબા ગામના તળાવમાં ન્હાવા જતા આકસ્મિક રીતે ડૂબી જતાં...