આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે સ્વતંત્ર પર્વ ની ઉજવણી સરસ્વતી ભગવતી હાઇસ્કુલ બરવાળા ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્ર પર્વ ની ઉજવણી કરવામાં માં આવેલ
આ તકે તેમના પ્રવચન માં જણાવેલ કે આજ નો બાળક એ આવતી કાલ નું ભવિષ્ય છે એ દેશ ની આઝાદી માટે આપણા પૂર્વજો એ એકતા અને અખંડિતતા માટે શહીદ થયેલ છે તેમને આજ ના દિવસે યાદ કરી દેશ ની આઝાદી નું જતન કરવા આપણે સો સાથે મળી દેશ ની એકતા અને અખંડિતા ને બનાવી રાખીએ તેજ આજ ના દિવસે આપણે સો સંકલ્પ લઈ એ સ્વતંત્ર દિવસ ના આ કાર્યક્રમ માં હાઇસ્કુલ ના વિદ્યાર્થી અને સ્ટાફ તેમજ આસપાસ ના ગામના લોકો હાજર રહી સ્વતંત્ર દિવસ ની ઉજવણી કરેલ
મોરબી તાલુકાના જોધપર નદી ગામે પોતાના રહેણાંક મકાને બીમારીથી કંટાળી આધેડ એસિડ પિ લેતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા સંજયભાઈ માધવદાસ દેવમુરારી (ઉ.વ.૫૧) ને પગના તળિયાની બીમારી હોય જેથી કંટાળી પોતાના ઘરે કોઈ પણ વખતે એસિડ પી જતા સારવાર અર્થે રાજકોટ સિવિલ...
મોરબી: ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ 10-02-2026 ના રોજ વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.
ઘૂંટુ સબસ્ટેશનમાંથી નીકળતા માંડલ એ.જી. ફીડર મેન્ટેનન્સ કામગીરી અર્થે સવારે 09.00 થી બપોરે 5.00 સુધી બંધ...