રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજી મંદિર- હરીહર ધામ, મોરબી ખાતે સારશ્વત સત્સંગ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ તકે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખોખરા હનુમાનજીના ચરણોમાં વંદન કરી પોતાને ભાગ્યશાળી ગણાવતા જણાવ્યું હતું કે, અહીં ખોખરા હનુમાનજી મંદિર ખાતે ધર્મના પ્રચાર તેમજ સંસ્કૃતિના સંવર્ધન માટે એક નવી જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે. આ પ્રભાવશાળી જગ્યા પર દિવ્ય અનુભૂતિ થાય છે.આ પ્રસંગે ખોખરા હનુમાનજી મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સારશ્વત સર્વની ઉપસ્થિતિમાં મંદિરના પટાંગણમાં વિશાળ સભાખંડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંદિરના મહંત માતાજી કનકેશ્વરીદેવી, સારશ્વત કૌશિકભાઇ વ્યાસ, જીગ્નેશ દાદા, ગૌતમ શાસ્ત્રી, હરેશ શાસ્ત્રી, ધનંજય શાસ્ત્રી તથા વિવિધ સારશ્વત, કથાકારો, સંતો-મહંતો તેમજ ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...