આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા અને ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં મોમાઈ દૂધની ડેરી ધરાવતા હિતેષભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભુંભરીયા, ઉ.24 ગત તા.21ના રોજ પોતાની દૂધની ડેરીએ હતા ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઈ રાઠોડ રહે. મકનસર અને સુરેશભાઈ નામની વ્યક્તિ ત્યાં આવી હતી
જે સમયે વજાભાઈ રાઠોડે કહ્યું હતું કે તું મારા ભત્રીજાની વહુને કેમ વોટ્સએપમાં મેસેજ કરેશ ? જેથી હિતેશભાઈએ પોતે મેસેજ ન કરતા હોવાનું જણાવતા લોખંડનો પાઇપ ફટકારી દીધો હતો.આરોપી કમલેશે પણ હવે પછી જો મારી પત્નીને વોટ્સએપ મેસેજ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને સાથે રહેલા સુરેશ નામના વ્યક્તિએ પણ લાકડાના ધોકા ફટકારી માર મારતા ફરિયાદી હિતેશભાઈના ભાઈ આશિષભાઈ તથા દીપકસિંહે વચ્ચે પડી હિતેશભાઈને છોડાવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશ પોતાના જીવનમાં અનુસરી શકે છે. આમ કરવાથી તેમને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડે.
હકીકતમાં તહેવારને લઇ વિદ્યાર્થીઓમાં ખાસ...
આપણા ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશની થી શણગારી...
મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે મોરબી શહેરમાં લાંબા ગાળાના પીવાના પાણી પુરવઠા માટે સરદારબાગ હેડવર્કસ થી પીવાના પાણી નું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામની રકમ રૂ.૨૧.૧૪ કરોડ ની મંજુરી મળેલ છે.
સદર કામમાં સરદારબાગ ના દૂરના વિસ્તારોના રહેવાસીઓને પાણીના અપૂરતા...