મોરબી જિલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ તેમજ ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા મોરબી પોલીસ તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, તથા એન્ટી હ્યુમન ટ્રાફીકગ યુનીટ મોરબી ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી બાતમી મેળવી સગીરવયની બાળાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી પોલીસ દ્વારા સગીરવયની બાળા તેમજ ગુમ થનાર વ્યકિતઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન એ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ મુજબના ગુનાના કામે આરોપી ફરીયાદીની સગીરવયની દિકરીને પલાસડી ગામે ફરીયાદીના ઘરેથી ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જે આરોપી તથા ભોગબનનાર બન્ને વિરમગામ તાલુકાના વણીગામે હોવાની મળેલ બાતમીના આધારે પોલીસ ટીમને મોકલતા આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સુરેશભાઇ પનારા જાતે કોળી ઉવ. ૨૩ હાલ રહે. હસનપર, શકિતપરા તા.વાંકાનેર જિ. મોરબી મુળ રહે દુધરેજ, વડવાળા મંદિર પાસે, સુરેન્દ્રનગર વાળો તથા ભોગબનનાર બાળા બન્ને મળી આવતા તેઓ બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...