મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઈ જારીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજય પ્રતાપભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા, સતિષભાઈ રમેશભાઈ ચાવડા (રહે ત્રણે રવાપર મોરબી) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી ભીખાભાઈના પત્ની ભારતીબેન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવાપર ગામની પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હોય જે બાબતની જુની અદાવત રાખી આરોપી અજયભાઈ તલવાર વડે ફરીયાદીને ડાબા હાથ તથા સાહેદને જમણા કાનના ભાગે તથા આરોપી પ્રદીપભાઈ એ લોખંડના પાઈપ વડે ફરીયાદીને જમણા હાથે તથા જમણા પગે તેમજ વાસાના ભાગે તેમજ સાહેદને ડાબી આંખ ઉપર તથા આરોપી સતિષભાઈ એ લાકડાના ધોકા વડે ફરીયાદીને ઘા મારી તેમજ ત્રણે આરોપીએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઝપાઝપી કરી શરીરે મુંઢ ઈજા તેમજ ફરીયાદી ને વાસાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી એકબીજાને ગુન્હામાં મદદ કરી હતિ. આ બનાવ અંગે ભીખાભાઈ દ્વારા મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાં ૭૯ મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નાટક, ભજન, દેશ ભક્તિના ગીતો રજૂ કરાયા હતા. તેમજ શાળામાં તૈયાર કરવામાં આવેલ રોપાઓ મહેમાનો તથા ગ્રામજનોને શાળા દ્વારા વિના મૂલ્યે વિતરણ કરી એક અનોખી રીતે સ્વાતંત્ર્ય...