મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઈ જારીયા (ઉ.વ.૪૫) એ આરોપી અજય પ્રતાપભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા, સતિષભાઈ રમેશભાઈ ચાવડા (રહે ત્રણે રવાપર મોરબી) વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી ભીખાભાઈના પત્ની ભારતીબેન ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવાપર ગામની પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હોય જે બાબતની જુની અદાવત રાખી આરોપી અજયભાઈ તલવાર વડે ફરીયાદીને ડાબા હાથ તથા સાહેદને જમણા કાનના ભાગે તથા આરોપી પ્રદીપભાઈ એ લોખંડના પાઈપ વડે ફરીયાદીને જમણા હાથે તથા જમણા પગે તેમજ વાસાના ભાગે તેમજ સાહેદને ડાબી આંખ ઉપર તથા આરોપી સતિષભાઈ એ લાકડાના ધોકા વડે ફરીયાદીને ઘા મારી તેમજ ત્રણે આરોપીએ ભેગા મળી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ઝપાઝપી કરી શરીરે મુંઢ ઈજા તેમજ ફરીયાદી ને વાસાના ભાગે ફેક્ચર જેવી ઈજા કરી એકબીજાને ગુન્હામાં મદદ કરી હતિ. આ બનાવ અંગે ભીખાભાઈ દ્વારા મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...