મોરબી: આમરણ ગૌશાળાના લાભાર્થે મેલડી યુવા સેવા સમિતિ-આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ આમરણ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે વિક્રમ સવંત ૨૦૭૮ના ભાદરવા સુદ-૪ને બુઘવાર તા.૩૧-૮-૨૦૨૨ સવારે ૮:૩૦ વાગ્યે સવારે મેલડી માતાજીની મહાપૂજા કરવામાં આવશે અને સાંજે ૦૬ : ૩૦ કલાકે મહાપ્રસાદનું તેમજ તા.૩૧-૮-૨૦૨૨ થી તા.૦૧-૦૯-૨૦૨૨ સુધી ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
આ લોકમેળાના આયોજનને સફળ બનાવવા જયંતીભાઈ જાકાસણીયા. અશોકભાઈ લુહાર, રાજેશભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ કાસુન્દ્રા, આમરણના સરપંચ મોહનભાઈ મલાભાઇ અને ડાયમંડનગર સરપંચ કેશવજીભાઇ અમરશીભાઈ તેમજ ભાવેશભાઈ કાસુન્દ્રા, વિપુલભાઈ કાસુન્દ્રા, રજનીશભાઈ વાઘડીયા, કેતનભાઈ કાસુન્દ્રા અને જગદીશભાઈ ભોરણીયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે લોકમેળાનો જાહેર જનતાએ લાભ મેળવવા મેલડી યુવા સેવા સમિતિ આમરણ અને પુજારી વિઠલભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ પાઠવ્યું છે.
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...