મોરબી: આમરણ ગૌશાળાના લાભાર્થે મેલડી યુવા સેવા સમિતિ-આમરણ તથા ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ આમરણ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે વિક્રમ સવંત ૨૦૭૮ના ભાદરવા સુદ-૪ને બુઘવાર તા.૩૧-૮-૨૦૨૨ સવારે ૮:૩૦ વાગ્યે સવારે મેલડી માતાજીની મહાપૂજા કરવામાં આવશે અને સાંજે ૦૬ : ૩૦ કલાકે મહાપ્રસાદનું તેમજ તા.૩૧-૮-૨૦૨૨ થી તા.૦૧-૦૯-૨૦૨૨ સુધી ભવ્ય લોકમેળનુ આયોજન કરવામાં આવેલ છે.
આ લોકમેળાના આયોજનને સફળ બનાવવા જયંતીભાઈ જાકાસણીયા. અશોકભાઈ લુહાર, રાજેશભાઈ કાસુન્દ્રા, અરવિંદભાઈ કાસુન્દ્રા, આમરણના સરપંચ મોહનભાઈ મલાભાઇ અને ડાયમંડનગર સરપંચ કેશવજીભાઇ અમરશીભાઈ તેમજ ભાવેશભાઈ કાસુન્દ્રા, વિપુલભાઈ કાસુન્દ્રા, રજનીશભાઈ વાઘડીયા, કેતનભાઈ કાસુન્દ્રા અને જગદીશભાઈ ભોરણીયા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે લોકમેળાનો જાહેર જનતાએ લાભ મેળવવા મેલડી યુવા સેવા સમિતિ આમરણ અને પુજારી વિઠલભાઈ કાસુન્દ્રાએ આમંત્રણ પાઠવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ 64 કળામાં પારંગત હતા. કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ઉપદેશ પોતાના જીવનમાં અનુસરી શકે છે. આમ કરવાથી તેમને ક્યારેય નિષ્ફળતાનો સામનો કરવો નહીં પડે.
હકીકતમાં તહેવારને લઇ વિદ્યાર્થીઓમાં ખાસ...
આપણા ત્યાં શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી ના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી યુવક મંડળ-ડાયમંડનગર દ્વારા આખા ગામને કેસરી ધજા તેમજ રોશની થી શણગારી...
મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે મોરબી શહેરમાં લાંબા ગાળાના પીવાના પાણી પુરવઠા માટે સરદારબાગ હેડવર્કસ થી પીવાના પાણી નું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામની રકમ રૂ.૨૧.૧૪ કરોડ ની મંજુરી મળેલ છે.
સદર કામમાં સરદારબાગ ના દૂરના વિસ્તારોના રહેવાસીઓને પાણીના અપૂરતા...