મોરબી: મોરબીના રફાળેશ્વર ખાતે અમાસનો મેળો હોય જેના કારણે લોકોની અવરજવર ખુબ વધુ હોવાથી છેક જીઆઇડીસી સુધી લારીઓ ગોઠવાઈ ગઈ હતી. તે દરમીયાન બપોરના સમયે રોડ પર લારી રાખવા અને તેના પૈસાની લેવડદેવડ બાબતે માથાકૂટ થઈ હતી. વાત એટલે વાત એટલી હદે વધી ગઈ હતી કે બંને એક બીજા પર ધોકા અને પાઇપના હથિયાર વડે હુમલો કર્યો હતો.
આ ઘટનામાં અંતિમ સિંહ જાડેજા, નીલરાજસિંહ જાડેજા, નવઘણ ધારાભાઈ ભરવાડ, દશરથ રઘુભાઈ માકાસણાને તેમજ સામેં પક્ષે અજય જગદીશ વનકર,જયશ્રી અજય ચૌહાણ, સુનિતા પરમાર એમ બંને પક્ષના કુલ ૭ લોકોને સામાન્યથી લઈ ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્તને પ્રથમ મોરબી સીવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી. બાદમાં એક જૂથના માણસોને વધુ સારવાર અર્થે રાજકોટને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ મોડી રાત્રે એક પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને એક શખ્સ વિરુદ્ધ અગાઉ લૂંટનો ગુન્હો દાખલ થયો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...