મોરબી: ધર્મ પ્રિય જનતા ને જણાવતા આનંદ થાય છે કે કચ્છ-જામનગર હાઈવે ઉપર આમરણ અને દુધઈ વચ્ચે આવેલ મેલડી માતાજીના મંદિરે ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમ ભાદવાશુદ-૪ તા-૩૧-૦૮-૨૦૨૨ને બુધવારે ના રોજ સાંજના ૯ કલાકે રજૂ કરાશે.તેમજ શ્રી બજરંગ ભવાઈ મંડળ (કુંભારીયા) નાયક બાબુભાઈ કે વ્યાસ તથા રાજેશભાઈ બી વ્યાસ જેમનુ મંડળ જેમાં નામાંકિત કલાકારો દ્વારા ભવાઈ રજૂ કરશે.આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમમાં રાજયોગી ભરથરી સતી પિંગલા ઉપર નાટક ભજવાશે તેમજ આ નાટકમાં મચ્છું કાંઠાના પ્રખ્યાત કલાકારો પણ સામેલ છે.
બજરંગ ભવાઈ મંડળ રમાડવા માટે કોન્ટેક્ટ કરો રમણીકભાઇ વ્યાસ,(બેલા આમરણ), સુધીરભાઈ વ્યાસ, તથા હિંમતભાઈ વ્યાસ.
મોં- 9913036742
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...