મોરબી: ધર્મ પ્રિય જનતા ને જણાવતા આનંદ થાય છે કે કચ્છ-જામનગર હાઈવે ઉપર આમરણ અને દુધઈ વચ્ચે આવેલ મેલડી માતાજીના મંદિરે ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમ ભાદવાશુદ-૪ તા-૩૧-૦૮-૨૦૨૨ને બુધવારે ના રોજ સાંજના ૯ કલાકે રજૂ કરાશે.તેમજ શ્રી બજરંગ ભવાઈ મંડળ (કુંભારીયા) નાયક બાબુભાઈ કે વ્યાસ તથા રાજેશભાઈ બી વ્યાસ જેમનુ મંડળ જેમાં નામાંકિત કલાકારો દ્વારા ભવાઈ રજૂ કરશે.આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમમાં રાજયોગી ભરથરી સતી પિંગલા ઉપર નાટક ભજવાશે તેમજ આ નાટકમાં મચ્છું કાંઠાના પ્રખ્યાત કલાકારો પણ સામેલ છે.
બજરંગ ભવાઈ મંડળ રમાડવા માટે કોન્ટેક્ટ કરો રમણીકભાઇ વ્યાસ,(બેલા આમરણ), સુધીરભાઈ વ્યાસ, તથા હિંમતભાઈ વ્યાસ.
મોં- 9913036742
મોરબીના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલી પેઢીઓના નામે આઇસગેટ પોર્ટલમાં ખોટા દસ્તાવેજો અપલોડ કરી મોટી સાયબર ઠગાઈ થયા અંગેનો મામલો સામે આવ્યો છે. જેમાં અજાણ્યા આરોપીઓએ ખોટા ઇ-મેઇલ, મોબાઇલ નંબર અને ડિજિટલ સિગ્નેચર બનાવી યુઝર આઈડી તૈયાર કરી સરકાર તરફથી એક્સપોર્ટ પ્રોત્સાહન હેઠળ મળનારી રોડટેપ સ્ક્રિપ્સ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી...
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને...