મોરબી: ધર્મ પ્રિય જનતા ને જણાવતા આનંદ થાય છે કે કચ્છ-જામનગર હાઈવે ઉપર આમરણ અને દુધઈ વચ્ચે આવેલ મેલડી માતાજીના મંદિરે ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમ ભાદવાશુદ-૪ તા-૩૧-૦૮-૨૦૨૨ને બુધવારે ના રોજ સાંજના ૯ કલાકે રજૂ કરાશે.તેમજ શ્રી બજરંગ ભવાઈ મંડળ (કુંભારીયા) નાયક બાબુભાઈ કે વ્યાસ તથા રાજેશભાઈ બી વ્યાસ જેમનુ મંડળ જેમાં નામાંકિત કલાકારો દ્વારા ભવાઈ રજૂ કરશે.આ ભવાઈનો ભવ્ય કાર્યક્રમમાં રાજયોગી ભરથરી સતી પિંગલા ઉપર નાટક ભજવાશે તેમજ આ નાટકમાં મચ્છું કાંઠાના પ્રખ્યાત કલાકારો પણ સામેલ છે.
બજરંગ ભવાઈ મંડળ રમાડવા માટે કોન્ટેક્ટ કરો રમણીકભાઇ વ્યાસ,(બેલા આમરણ), સુધીરભાઈ વ્યાસ, તથા હિંમતભાઈ વ્યાસ.
મોં- 9913036742
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...