માધાપરવાડી કન્યા શાળામાં ધો.પાંચમાની 42 બેતાલીસ અને કુમાર શાળામાં 40 એમ કુલ 82 વિદ્યાર્થીઓને વેકસીન આપી ભવિષ્યમાં થનારા રોગો માટે સુરક્ષિત કરાયા.
સરકારના બાળ આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા બાળકોની સુખાકારી માટે, બાળકોની તંદુરસ્તી માટે અનેકવિધ વેકસીન આપવામાં આવે છે એ અન્વયે હાલ અગિયાર વર્ષની ઉંમરના એટલે કે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા બાળકોને ડિફથેરિયા અને ધનુરની વેકસીન મુકવામાં આવે છે. જેથી બાળકોને ભવિષ્યમાં થનારા રોગોથી સુરક્ષિત કરી શકાય એટલા માટે અત્રેની માધાપરવાડી કન્યા અને કુમાર શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી 42 બેતાલીસ કન્યા અને 40 કુમાર એમ કુલ 82 બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત વેકસીન આપવામાં આવેલ છે.
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...
એન.ડી.પી.એસ/શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે ટંકારા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ તથા શરીર સબંધી ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ એન.ડી.પી.એસ તથા શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી નિજામભાઇ ઇબ્રાહીમભાઇ...
મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 15-09-2025 ને સોમવારના રોજ સાંજે 04:00 થી 05:00 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ મોરબી નાગરીક બેન્કની સામે મોરબી ખાતે રાખેલ છે.
નોંધ: સસરા પક્ષની...