માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધી સરકારી નોકરી કરનાર 70 સિત્તેર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ.
મોરબીના રંગપર ગામે ઈ.સ.1972 માં માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં આવી હતી જેને હાલ 50 પચાસ વર્ષ પૂર્ણ થયા હોય સુર્વણ જ્યંતી મહોત્સવની ઉજવણી કરવાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસ વર્ષ દરમ્યાન રંગપર ગામની ભૂમિમાં જન્મ ધારણ કરી, રંગપર ગામનો ખોળો ખુંદી, માધ્યમિક શાળામાં અભ્યાસ કરી કલેક્ટરથી માંડી પટાવાળા સુધીના હોદ્દાઓ પર રહી સરકારી નોકરી કરતા અને નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ ઉપસ્થિત મહાનુભાવો દિલુભા ઝાલા પ્રમુખ મરવડ કેળવણી મંડળ તેમજ અનંતભાઈ ભટ્ટ શિક્ષક વધારવા માધ્યમિક શાળા મહેન્દ્રસિંહ ઝાલા પૂર્વ સરપંચ તેમજ પરષોત્તમભાઈ કાલરીયા પૂર્વ આચાર્ય વગેરેએ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એવા ગિરિરાજસિંહ ઝાલા ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર જયમલભાઈ કરોતરા પોલીસ ઇન્સપેક્ટર રંગપર માધ્યમિક શાળાની ગતિ અને ગરીમા વિશે વાતો કરી હતી અને ભૂતકાળના સોનેરી સંસ્મરણો તાજા કર્યા હતા.
આ પ્રસંગે 70 સિત્તેર જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ સરકારી તમામ વિભાગોમાં ફરજ બજાવતા અને બજાવી ચુકેલાનું સાલ ઓઢાડી સન્માન પત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું.તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પૂર્વ વિદ્યાર્થી અને બેસ્ટ બી.આર.સી.કો.ઓ. તરીકે મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે સન્માનિત દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.ખુબજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ નિરૂભા ઝાલા,રઘુભા ઝાલા,મેઘરાજસિંહ ઝાલા સરપંચ રંગપર,જયવંતસિંહ જાડેજા,સજુભા ઝાલા, બાપલાલસિંહ ઝાલા વગેરે પદાધિકારીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો તેમજ રંગપર તાલુકા શાળા અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકોએ અને માધ્યમિક શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ સદાતિયાએ ખુબજ જહેમત ઉઠાવી હતી.
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...