ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે ગુજરાતભરમાં વસતા રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ માંગણીઓ ને લઈને એક આવેદન પણ આપવામાં આવ્યું હતું
જેમાં સાધુ સમાજ ની મુખ્ય માંગણીઓ હતી (૧) સમસ્ત ગુજરાતમાં વસતા રામાનંદી સાધુ સમાજને ખેડૂત હક મળે (૨) રામાનંદી સાધુ સમાજનો વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થાય . (૩) મંદિરોના લાઈટબિલ તથા ટેક્ષબિલમાં રાહત મળે . (૪) ગુજરાતના (૫) મહાનગરોમાં રામાનંદી સાધુ સમાજની દિકરીઓ માટે કન્યા કેળવણીના કામ માટે ૨૫૦૦ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવામાં આવે .તેમજ ૬) રામાનંદી સાધુ સમાજને ગુજરાતમાં રાજકીય પ્રતિનિધિત્વ મળે આમ છ માંગણીઓને લઈને રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ મધ્યસ્થ સંઘ અમદાવાદ તેમજ રામાનંદી નવ નિર્માણ સેના અને સાધુ સંતોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું હતું તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાધુ સમાજનો. આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને રામાનંદી સાધુ સમાજ પ્રગતિના પંથે અવિરત આગેકૂચ કરે તેવી શુભકામના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...