ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડે ગુજરાતભરમાં વસતા રામાનંદી સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રામાનંદી સાધુ સમાજ દ્વારા વિવિધ માંગણીઓ ને લઈને એક આવેદન પણ આપવામાં આવ્યું હતું
જેમાં સાધુ સમાજ ની મુખ્ય માંગણીઓ હતી (૧) સમસ્ત ગુજરાતમાં વસતા રામાનંદી સાધુ સમાજને ખેડૂત હક મળે (૨) રામાનંદી સાધુ સમાજનો વિચરતી વિમુક્ત જાતિમાં સમાવેશ થાય . (૩) મંદિરોના લાઈટબિલ તથા ટેક્ષબિલમાં રાહત મળે . (૪) ગુજરાતના (૫) મહાનગરોમાં રામાનંદી સાધુ સમાજની દિકરીઓ માટે કન્યા કેળવણીના કામ માટે ૨૫૦૦ ચો.મી.ના પ્લોટની ફાળવણી કરવામાં આવે .તેમજ ૬) રામાનંદી સાધુ સમાજને ગુજરાતમાં રાજકીય પ્રતિનિધિત્વ મળે આમ છ માંગણીઓને લઈને રામાનંદી સાધુ સમાજના અગ્રણીઓ મધ્યસ્થ સંઘ અમદાવાદ તેમજ રામાનંદી નવ નિર્માણ સેના અને સાધુ સંતોની હાજરીમાં આવેદન આપવામાં આવ્યું હતું તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાધુ સમાજનો. આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો અને રામાનંદી સાધુ સમાજ પ્રગતિના પંથે અવિરત આગેકૂચ કરે તેવી શુભકામના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી હતી
મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે કરવામાં આવેલા કાર્યને ૧ વર્ષ પૂર્ણ થતા આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે તા. ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ સાંજે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી પટેલ સમાજવાડી, શનાળા ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન...
મોરબીની જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 18 વર્ષે પુન: મળ્યા હતા અને સમયની જુની યાદો તાજા કરી હતી.
મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ જે.જે.પટેલ બી.એડ. કોલેજમાં વર્ષ 2006-07 માં સાથે અભ્યાસ કરતા બી.એડ.ના વિદ્યાર્થીઓએ પુનઃ મળવાનું અને જૂની યાદો તાજી કરવા માટેનું આયોજન નક્કી કર્યું હતું....
મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે દશ કામોને મંજૂરી આપી જે પૈકી રૂ. 27.84 લાખના જુદા-જુદા પાંચ કામો પૂર્ણ કરવામાં આવેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટ અન્વયે જુદા-જુદા ૧૦(દસ) કામોની મંજુરી આપી શરૂ કરવામાં આવેલ જે પૈકી ૧) રૂ.૬.૯૯ લાખના ખર્ચે વાવડી રોડ વિસ્તાર (શ્રીહરી પાર્ક વોર્ડ નં.-૧)માં...