મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા કોરોનામહા મારીમાં અવસાન પામેલા દિવંગત આત્માના મોક્ષર્થે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે
જેનું પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ આમંત્રણ આપવામાં આવ્યું હતુ જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે. કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે કોરોના મહામારીમાં અવસાન પામેલા દિવંગત આત્માના મોક્ષર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે આ સંકલ્પના અનુસંધાનમાં પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી સનાળા પટેલ સમાજની વાળી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને આ કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે
મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની કમલ ભોગીરામ પરમાર (ઉ.વ.૪૯) નામના આધેડે પોતાની જાતે મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ અમીરચંદ સીતારામ ડાવર (ઉ.વ.૩૫) નામના યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...