મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ માટે પ્રધાનમંત્રી મોદીએ શુભકામનાઓ પાઠવી

મોરબી માળીયાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા કોરોનામહા મારીમાં અવસાન પામેલા દિવંગત આત્માના મોક્ષર્થે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે

જેનું પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ આમંત્રણ આપવામાં આવ્યું હતુ જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે. કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે કોરોના મહામારીમાં અવસાન પામેલા દિવંગત આત્માના મોક્ષર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે આ સંકલ્પના અનુસંધાનમાં પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી સનાળા પટેલ સમાજની વાળી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે.જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને આ કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img