મોરબી: હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે ગઈકાલના રોજ લોકમેળામાં લુખ્ખાગીરી કરતા ત્રણ શખ્સો વિરુદ્ધ દેવળીયા ગામના આધેડે આવાજ ઉઠાવતા તેની ઉપર છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં આધેડને છરીના ઘા ઝીંકી દેતા હળવદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતાં ઘટનાસ્થળે હળવદ પોલીસ સહિત મોરબી જીલ્લાની પોલીસની ટીમોના ટોળે ટોળા ઉતારવામાં આવતા દેવળીયા ગામે લોકમેળો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો જ્યારે પોલીસ દ્વારા આધેડની ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રામાપીરના લોકમેળામાં ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો જેમાં આવારાતત્વો દ્વારા થતી બેરોકટોક પૈસાની ઉઘરાણી બાબતે આધેડ સુરજભાઇ ભોરણીયાએ અવાજ ઉઠાવતાં ત્રણ લુખ્ખાઓએ સુરજભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ત્રણ શખ્સોએ સુરજભાઇ ભોરણીયાને છરીના ઘા મારતા લોહીલુહાણ હાલતમાં આધેડને હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ ઘટનાના પગલે દેવળીયાનો લોકમેળો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો તેમજ બનાવ બાદ હળવદ પોલીસે ખાનગી હોસ્પિટલ પહોંચી આધેડની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.
મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની કમલ ભોગીરામ પરમાર (ઉ.વ.૪૯) નામના આધેડે પોતાની જાતે મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ અમીરચંદ સીતારામ ડાવર (ઉ.વ.૩૫) નામના યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...