મોરબી શહેરના વોર્ડ નંબર નવમાં નાની કેનાલ રોડની વસાહતમાં છેલ્લા પંદર દિવસ થી પીવાના પાણીની લાઈન લીકેજ થતી હોવાથી આ વેડફાતું પાણી રોડમાં ઘણે સુધી રહેતું રહે છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ નાની કેનાલ રોડ અત્યારે ખૂબ જ વિકસિત વિસ્તાર છે. પરંતુ ત્યાં મંજૂરી વગરના બાંધકામ થતા હોય ત્યાં નીકળતી પીવાની પાણીની લાઈનમાં નગરપાલિકાની જાણ હોય કે ન હોય પણ ત્યાં કનેક્શન લઈ લેવામાં આવ્યા છે. અને આ કનેક્શન લીધા પછી કાળજીપૂર્વક કામગીરી કરી ન હોય કનેક્શન લીધું ત્યારથી આ પાણી વેડફાતું રહે છે. અને આ વેડફાતા પાણી અંગે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. તાત્કાલિક આ વહેતું પાણી બંધ કરવામાં આવે અને જો આ કનેક્શન ગેરકાયદેસર લીધું હોય તો પાણી ચોરી કર્યા અંગેની જે કાર્યવાહી કરવાની થાય તે કાર્યવાહી કરવામાં આવે. અને જો કનેક્શનની મંજૂરી લીધી હોય તોતાત્કાલિક વેડફાતુ પાણી બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં ઉપયોગ કરેલ કાર તથા સાધનો મળી કુલ કિ.રૂ.૩,૦૦,૪૫૦/- ના મુદામાલ સાથે બેઈસમોને મોરબી એલ.સી.બી./પેરોલફલો સ્કવોડ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી લખધીરપુરરોડ ઉપર હોલીશ વિટ્રીફાઇડ કારખાના પાસે...
મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારના રોજ દુખદ અવસાન પામેલ છે ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
સદગતની અંતિમ યાત્રા આજે તા. ૧૧-૧૧-૨૦૨૫ ને મંગળવારે સાંજે...
માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં ગંજીપના...