મોરબી: જનતા હંમેસા એવા રાજકીય નેતાને પસંદ કરે છે જે પ્રજાના કાર્ય કરે. ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ દ્વારા નેતાઓને શીખવા જેવું એક ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે.
જેમાં આજે ગોરખીજડીયા તથા વનાળીયા ગામના રોડનું પેચવર્ક કામ ચાલુ કર્યું છે ત્યારે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા સ્થળ ઉપર હાજર રહી રોડનું પેચવર્ક કામનું નિરીક્ષણ કરી માથે ઉભા રહી કામ કરાવે છે જેથી રોડ થોડા સમયમાં તુટી ન જાય અને લોકોને મુશ્કેલ હાલાકીનો સામનો ન કરવો પડે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...