ભારત વિકાસ પરિષદ મોરબી તથા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટ અને અભિનવ સ્કૂલ મોરબી ના સંયુક્ત ઉપક્રમે ગઈ કાલે વૈદિક પેરેન્ટિંગ સેમીનાર નું આયોજન અભિનવ સ્કૂલ મોરબી ખાતે કરવામાં આવ્યું.આ સેમીનાર માં સ્વાગત પરિચય અભિનવ સ્કૂલ ના ટ્રસ્ટી લલિતભાઈ કાનાણી દ્વારા તેમજ વિષય પ્રસ્તાવના ભારત વિકાસ પરિષદ મોરબી શાખા ના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા દ્વારા કરવામાં આવેલ.ઉપસ્થિત મહેમાનો ને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ.
પંચકોષ એટલે શું? બાળકો નું ઘડતર કઈ રીતે કરવું?બાળકો ની સમસ્યાઓ કઈ રીતે દૂર કરવી?બાળકો ની સુષુપ્ત શક્તિઓ નો વિકાસ કઈ રીતે કરવો? જેવા મુદ્દા ઉપર સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ ના ડો.મેહુલભાઈ આચાર્ય દ્વારા સચોટ માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા વાલીઓ ને મુંઝવતા પ્રશ્નો ના જવાબ આપવામાં આવ્યા હતા.આ સેમીનાર માં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ મોરબી ના સહ કાર્યવાહ જસ્મીનભાઈ તથા અભિનવ સ્કૂલ ના ટ્રસ્ટી મનોજભાઈ ઓગણજા તથા કમલેશભાઈ લીખીયા તથા વિ. હિ.પ ગ્રામ્ય અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા તથા મોટી સંખ્યા માં વાલીઓ અને ભારત વિકાસ પરિષદ ના સભ્યો જોડાયા હતા.આ કાર્યક્રમ નું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...