મોરબી: વાંકાનેર તાલુકાના જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદિર પાસે ચાર રસ્તા નજીક ઉછીના પૈસા આપવાની ના પાડતાં યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુની રાતીદેવરી ગામે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે નનુ હેમરાજભાઇ વોરા (ઉ.વ ૨૪) એ આરોપી જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ મોતીભાઇ ગુગડીયા, દીવ્યેશ ઉર્ફે ભોલો જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, મીતુલ જેઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ, યોગેશભાઇ નવીનભાઇ વોરા રહે બધા રાતીદેવરી તા. વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ૧૧-૦૯-૨૦૨૨ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના સુમારે જુની રાતીદેવરી ગામે પીઠડ માતાજીના મંદિર પાસે ચાર રસ્તા નજીક ફરીયાદી પાસે આરોપી જેઠાભાઈએ રૂ.૫૦ ઉછીના માંગતા જે ફરીયાદીએ ના પાડતાં આરોપીઓએ કુવાડીનો હાથો તથા લોખંડના પાઈપ તથા (ડાક) તથા છુટા પથ્થરોથી ફરીયાદીને ડાબા હાથે તથા શરીરે મારામારી ફેક્ચર થયેલ છે.તેમજ સાહેદ લાલજીભાઇને જમણા હાથે ફેક્ચર જેવી ઈજા કરી તેમજ સાહેદોને ડાક પથ્થર, પાઈપ, વડે મારામારી કરી સામાન્ય ઈજાઓ કરી હતી. આ બનાવ અંગે નરેન્દ્રભાઇએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૩૫ કલાક પહેલા કોઇપણ સમયે હળવદમાં અમૂલ ફર્નીચર શો રૂમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ડુબી જવાથી સ્ત્રીનું મોત નીપજ્યું...