બાળકોને પોષણને લગતી રમત રમાડવામાં આવી તથા વાલીઓને માર્ગદર્શન અપાયું
સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રીય વ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પોષણ અભિયાનને જન આદોલનનું સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણ ને લગતા સંદેશાઓ ઘર-ઘર સુધી પહોંચે અને દેશમાં કુપોષણ નાબૂદ થાય તે હેતુથી કાર્યક્રમો અને દૈનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જિલ્લાની દરેક આંગણવાડી કક્ષાએ ગત તા.૨૦/૦૯/૨૦૨૨ ના રોજ બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ આયોજન અન્વયે બાળકો દ્વારા પોષણને લગતી રમતો રમાડવામાં આવી હતી. ઉપરાંત એનીમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનીટેશન તેમજ પોષ્ટિક આહાર વિષે ઉપસ્થિત બાળકોના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...