Thursday, August 21, 2025

મોરબીમાં 25 સપ્ટેમ્બરે મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં આગામી તા. ૨૫-૦૯-૨૦૨૨ ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોચી સમાજના કે.જી. તથા ધો.૧ થી ધો.૧૨ માં ૬૦% થી વધુ ટકા મેળવેલ પ્રથમ દ્વિતીય તૃતીય નંબરના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ સરસ્વતી સન્માન સમારોહનું ઉદ્ઘાટન નકલંક મંદિર, બગથળાના મહંત દામજી ભગત તેમજ ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકરી મોરબી તેમજ પ્રદીપભાઈ વાળા દ્વારા કરવામાં આવશે.આ આયોજનને સફળ બનાવવા માટે જાગા સ્વામી મિત્ર મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમ તા. ૨૫-૦૯-૨૦૨૨ ને રવિવારના રોજ સ્થળ શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, નવાડેલા રોડ મોરબી ખાતે સમય બપોરે ૨:૩૦ વાગ્યેથી શરૂ થશે જે માહિતી પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડની યાદીમાં જણાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર