મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર રોયલ પાર્કમાં રહેતા પુજાબેન નટવરલાલ પરમાર (ઉ.વ.૪૫ ) એ આરોપી વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે હડમતીયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા સાહેદના હડમતીયા પાલનપીર મેળામા રમકડાના સ્ટોલ ઉપર આરોપી વિશાલ ભગવાનજી એ આવી ફરીયાદી સાથે ઢિંગલો બદલી આપવા બાબતે બોલાચાલી કરી ફરીયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને પોતાની જ્ઞાતી પ્રત્યે હડદુત કરી કર્યા હતા. આ બનાવ અંગે પુજાબેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર),(એસ)-૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...
ગુજરાતમાં અત્યારે મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે.
5 સિસ્ટમ સક્રિય થતાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેલમાર્ક લો પ્રેશર,...