મોરબી: મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. ૪૫) તા-૨૯/૦૮/૨૦૨૨ ના રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઇ કારણોસર પહેલા માળેથી પડી જતા માથે કાનમાં શરીરે ઇજા થતા પ્રથમ સારવાર સીવીલ હોસ્પિટલ મોરબી ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં જતા જેનું ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડો. જે.જી.વાગડીયાએ તપાસી તા-૩૦/૦૮/૨૦૨૨ ના રોજ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 16/09 /2025 ને મંગળવારના રોજ સાંજે 08:00 થી રાતના 10:00 કલાક સુધી પટેલ સમાજ વાડી સરવડ ગામ ખાતે...
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા...