મોરબી: મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા પહેલા માળેથી નીચે પટકાતાં યુવાનનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસી પરા પાછળ રોહીદાસપરામા રહેતા કરશનભાઈ પોપટભાઈ ચાવડા (ઉ.વ. ૪૫) તા-૨૯/૦૮/૨૦૨૨ ના રાત્રીના સાડા દસેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા ત્યારે કોઇ કારણોસર પહેલા માળેથી પડી જતા માથે કાનમાં શરીરે ઇજા થતા પ્રથમ સારવાર સીવીલ હોસ્પિટલ મોરબી ત્યારબાદ વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં જતા જેનું ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડો. જે.જી.વાગડીયાએ તપાસી તા-૩૦/૦૮/૨૦૨૨ ના રોજ મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુ નોંધ કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી નજીક વાંકાનેર તાલુકામાં કોઠારીયા ગામ સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની પ્રેરક ઉપસ્થિતિમાં નવનિર્મિત ડોર્મિટરી તથા સ્ટાફ ક્વોટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીતુભાઈ સોમાણીએ જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે,...
આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ પોલ, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ ટીમની વ્યવસ્થા સહિતની આનુસંગિક વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી હળવદ ખાતે કરવામાં આવનાર છે,...
મોરબી કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લામાં સરકારી બાંધકામોના સ્ટ્રકચરલ & પબ્લિક સેફટી અન્વયે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે, માર્ગ અને મકાન, જળસંપતિ, પાણી પુરવઠા, નર્મદા, શિક્ષણ, આરોગ્ય, મહિલા અને બાળ, શહેરી વિકાસ, પંચાયત, ગ્રામ વિકાસ વગેરે હસ્તકની ઇન્ફ્રાસ્ટ્રકચરલ સુવિધાઓ જેવી કે રોડ,...