મોરબી: ટંકારા તાલુકાના નસીતપર ગામે કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા દિપકભાઈ ગુમાનસિંગ ભુરીયા (ઉ.વ.૩૭) ટંકારા તાલુકાના નસીતપર ગામે મહેશભાઈ ભગવાનજીભાઈ રંગપરીયાની વાડીએ ગત તા.૨૨-૦૯-૨૦૨૨ ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણસર કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 16/09 /2025 ને મંગળવારના રોજ સાંજે 08:00 થી રાતના 10:00 કલાક સુધી પટેલ સમાજ વાડી સરવડ ગામ ખાતે...
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા...