મોરબી: મોરબીના જુના ઘુટુ રોડ ઉપર સીમ્પોલો સિરામિકના કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા સિક્યુરિટી ગાર્ડને લોડર ચાલકે હડફેટે લેતા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. લોડર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો.
મળતી માહિતી મુજબ મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં માટી ખાતાની દીવાલ પાસે ખુરશી ઉપર બેઠેલા મૂળ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લાના મૌહારના વતની સિક્યુરિટી મેન શીવાશુ રામપાલસિંહ યાદવ, ઉ.વ.૧૯ નામના યુવક નોકરી દરમિયાન સીમ્પોલો સીરામીકના માટી ખાતામાં ખુરશી ઉપર બેઠા હતા ત્યારે ટ્રેકટર લોડર નં- GJ-13-AD-1046ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે લોડર ચલાવી ખુરશીમા બેઠેલ શિવાંશભાઈને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ કેશવ રામપાલ યાદવે અકસ્માત સર્જી નાસી છુટેલા લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી : પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આ વખતે પણ તા. 01-02-2026 ને રવિવારના રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી સવારે 9 થી 1 કલાક દરમ્યાન નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જેમાં 0 થી...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી દ્વારા ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી નવયુગ સંકુલ, વિરપર મુકામે ભવ્ય અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં રાજેશભાઈ બદ્રકિયા (જિલ્લા સામાજિક સદભાવ સંયોજક, RSS)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. તેમણે પોતાના પ્રવચનમાં “પર્યાવરણનું જતન એ આજના સમયની માંગ છે” એમ જણાવી પંચ પરિવર્તનના મહત્વ પર...
છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સવા લાખથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે *1-2-26 રવિવારે* 90મોં વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. આ કેમ્પની વિશેષતા એ છે કે અહીંયા વિશાળ જગ્યા છે,...