મોરબી : મોરબીમાં ઉદ્યોગકારોના મોટા પ્રમાણમા થતા એક્સપોટઁ અને ઈમ્પોટઁને ઘ્યાને લઈને ભારતીય રેલ્વે દ્વારા થોડા સમય પહેલા મોરબીના મકનસર ગામ પાસે ICD (ઈનલેન્ડ કન્ટેનર ડેપો)ને મંજુરી આપેલ આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ માટે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્વારા સાસંદ મોહનભાઈ કુંડારીયા સાહેબને રજુઆત કરતા તેમની રજુઆતોને ઘ્યાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા પી એમ ગતિ શકિત યોજના હેઠળ આ 280 કરોડના પ્રોજેક્ટને મંજુરી આપી હાલ 112 કરોડ ફાળવેલ છે.
જેથી હવે રેલ્વે બોડઁ દ્વારા ICD (ઈનલેન્ડ કંન્ટેનર ડેપો)ના આ પ્રોજેક્ટનુ કામ આગળ વઘશે મકનસર પાસે ICD થતા મોરબી સીરામીક ઉદ્યોગકારોને એક્સપોટઁ તેમજ ઈમ્પોટઁમા ટ્રાન્સપોટેઁસનના ભાડામા ફાયદો થશે તેમજ કસ્ટમ ક્લીયરન્સમા ખૂબજ સરળતા રહેશે જેથી એક્સપોટઁને વેગ મળશે તેમજ Freight forwarders, Custome clearanceના એજન્ટોની ઓફિસો મોરબી થશે જેથી નવી રોજગારી ઉભી થશે એ ઉપરાંત મોરબીનુ દરરોજના 1200 કંન્ટેનરનુ એક્સપોટઁ હોવાથી હાઈવેના ટ્રાફીકમા ઘટાડો થશે આ તકે મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન કેન્દ્ર સરકારનો તેમજ સાસંદ મોહનભાઈ કુંડારીયાનો આભાર વ્યક્ત કરે છે.
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાબકેલા અતિભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના લીધે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ખાસ કરીને મુંબઈમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને પગલે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાત (અમદાવાદ અને સૌરાષ્ટ્ર)થી મુંબઈ તરફ જતી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ જેવી મહત્વની ટ્રેનો આજે...