સરકારની સહાયથી હવે અમારો વ્યવસાય નવી ઊંચાઈઓ સર કરશે – લાભાર્થી શોભાબેન દેવડા
દેશની પ્રત્યેક નારી પગભર બને તે તરફ સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વિકાસની સાથે નારી શક્તિનો વિકાસ થાય અને દેશના વિકાસમાં તે પણ પોતાનો ફાળો આપી શકે તે માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાલ અમલમાં છે. આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો થકીની એક યોજના એટલે રાષ્ટ્રીય ગ્રામીણ શહેરી આજીવિકા મિશન યોજના. જે હેઠળ વિવિધ સખી મંડળો અને સખી સંઘની બહેનો સરકારની સહાયથી પગભર બની રહી છે.
આવી જ એક સહાયનો ૭.૫ લાખની લોનનો ચેક મેળવી ટંકારા તાલુકામાં આવેલ શક્તિનગર (વિરવાવ)ના શક્તિનગર ગ્રામ સખી સંઘના પ્રમુખ શોભાબેન દેવડા હર્ષભેર જણાવે છે કે, અમારા સખી સંઘને આ સહાયનો ચેક મળતા અમારો વ્યવસાય અનેક નવી ઊંચાઈઓ સર કરશે. કેટલીક બહેનો તેમના વ્યવસાયમાં નવી સુવિધાઓ સાથે નવું ફલક ઊભું કરશે તો કેટલીક બહેનો સીવણ કે પાર્લરનો નવો વ્યવસાય શરૂ કરશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સખી સંઘમાં પાંચ સખી મંડળની ૩૬ બહેનો જોડાયેલી છે આ બહેનો ડેરી, સીવણ, ઈમીટેશન, ખેતી, પાર્લર વગેરે વ્યવસાયો સાથે જોડાયેલી છે. સરકારની આવી સહાય થકી અમારા વ્યવસ્થાને એક નવો જોશ નવો ઉત્સાહ મળે છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે યોજાયેલા કાર્યક્રમમાં શક્તિનગર ગ્રામ સખી સંઘને ૭.૫ લાખની સહાય એનાયત કરવામાં આવી હતી
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...