મોરબી: મોરબી શહેરમાં વાઘપર રોડ પર કોઇ ઇસમ પત્થરાઓની આડશ કરી તે વ્યક્તિએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનસિક બીમારીના કારણે આવી પ્રવતી કરેલ છે. જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે.
મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પડતો હોવાની માહીતી મળતા તરતજ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટશન લાવી તેની પૂછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે. વસંત પ્લોટ મોરબી વાળા હોવાનું જણાવેલ ઈસમ દખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનું જણાય આવતા તેના પરિવારને પોલીસ સ્ટશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છલ્લા આઠક માસથી માનસીક રીતે પીડાય છે. તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્સ્પટલમા ચાલુ છે, અને આજરોજ ઘરથી નીકળી ગયેલ હોવાનું જણાવલ છે.
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...
ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઇનર બ્રીજનું માર્ગ અને...