મોરબી: મોરબી શહેરમાં વાઘપર રોડ પર કોઇ ઇસમ પત્થરાઓની આડશ કરી તે વ્યક્તિએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનસિક બીમારીના કારણે આવી પ્રવતી કરેલ છે. જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે.
મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પડતો હોવાની માહીતી મળતા તરતજ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટશન લાવી તેની પૂછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે. વસંત પ્લોટ મોરબી વાળા હોવાનું જણાવેલ ઈસમ દખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનું જણાય આવતા તેના પરિવારને પોલીસ સ્ટશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છલ્લા આઠક માસથી માનસીક રીતે પીડાય છે. તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્સ્પટલમા ચાલુ છે, અને આજરોજ ઘરથી નીકળી ગયેલ હોવાનું જણાવલ છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...