મોરબી: મોરબી શહેરમાં વાઘપર રોડ પર કોઇ ઇસમ પત્થરાઓની આડશ કરી તે વ્યક્તિએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનસિક બીમારીના કારણે આવી પ્રવતી કરેલ છે. જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે.
મોરબી શહેરમાં વાઘપરા-કબીર ટકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પડતો હોવાની માહીતી મળતા તરતજ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટશન લાવી તેની પૂછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે. વસંત પ્લોટ મોરબી વાળા હોવાનું જણાવેલ ઈસમ દખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનું જણાય આવતા તેના પરિવારને પોલીસ સ્ટશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છલ્લા આઠક માસથી માનસીક રીતે પીડાય છે. તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્સ્પટલમા ચાલુ છે, અને આજરોજ ઘરથી નીકળી ગયેલ હોવાનું જણાવલ છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનો ન હોવાના કારણે ગૂંગળામણ થતાં બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે સારવાર દરમિયાન 2 યુવકનું મોત...