મોરબી: મોરબીમાં કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ શીશો અકસ્માતે હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ન્યુ રેલ્વેકોલોની ધકાવાળા મેલડીમાની સામે રહેતા બીપીનભાઈ ભનુભાઇ ડાઠીયા (ઉ.વ.૩૫) ગત ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ કચરો સળગાવવા માટે કેરોસીનથી ભરેલ પ્લાસ્ટીકના શીશામાંથી કેરોસીન નાખવા જતા અક્સ્માતે શીશો હાથમાંથી પડી જતા આખા શરીરે આગ લાગતા દાજી જતા પ્રાથમીક સારવાર સવીલ હોસ્પિટલ મોરબી લઈ વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ રાજકોટ રીફર કરેલ હોય જ્યા સારવાર દરમીયાન ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના ત્રિકોણબાગ પાસે આવેલા પરાબજાર મેઇન રોડ ઉપર લગભગ છેલ્લા 20 દિવસથી દરરોજ લાઈટ કાપનો વિકરાળ સમસ્યા થઈ રહી છે ઘણા સમયથી આ વિસ્તારમાં દિવસમાં અવારનવાર લાઈટ આવવા જવાની સમસ્યા તો પહેલેથી જ હતી. પરંતુ છેલ્લા 20 દિવસથી કોઈપણ સમયે લાઇટ જતી રહે છે સવાર બપોર હોય કે સાંજ...
મોરબી: મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલ શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અંતર્ગત અંગે સેમિનાર યોજાયો હતો.
ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ સાયબર ક્રાઈમ અને ફ્રોડ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સંચાલક પ્રસાદભાઈ ગોરિયાના...
રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ ૨૩૦૦ જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે.
આ તમામ નવા કંડકટરોની ટ્રેનિંગ પણ આજથી રાજકોટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી ડેપોને ૩૭ નવા કંડકટર ફાળવવામાં આવેલ છે ત્યારે હવે મોરબી ડેપોમાં...