મોરબી: રાજકોટ-મોરબી હાઈવે ઉપર હળબટીયાળી ગામના પાટીયા નજીક રોડ ઉપર બસે ઠોકર મારતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ બસ ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં પેડક રોડ પર ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ લવજીભાઈ ગઢીયા (ઉ.વ.૩૨) એ આરોપી લકઝરી બસ રજીસ્ટર નં. AR-01-T-8969 નો ચાલક ઘમંડારામ ગોમારામ ગોડારા (ઉ.વ.૩૦ રહે. ખુડલા જી. બાડમેર રાજસ્થાન) વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૦૯-૨૦૨૨ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપી લકઝરી ટ્રાવેલ્સ બસ રજીસ્ટર નં. AR- 01-T-8969 ના ચાલકે પોતાના હવાલા વાળી બસ પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પિતા લવજીભાઇ ભીમજીભાઇ ગઢીયા ઉ.વ.૫૮ વાળા મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-03-JS-7789 લઇને જતા હતા તેને ઠોકરી મારી અકસ્માત કરી કપાળ તથા મોઢા તથા કમર તથા પેટ તથા ડાબા હાથે કોણીના ભાગે તથા ડાબા પગની એડીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો કલમ-૨૭૯,૩૦૪ (અ) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ નોંધી તપાસ હાથ છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના નીવાસી રમાબેન સવજીભાઈ સનારિયાનુ 71 વર્ષની વયે તારીખ 14/09/2025 ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ 16/09 /2025 ને મંગળવારના રોજ સાંજે 08:00 થી રાતના 10:00 કલાક સુધી પટેલ સમાજ વાડી સરવડ ગામ ખાતે...
મોરબી જિલ્લામાં આગામી ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવા જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયા અન્વયે સ્વચ્છતા હી સેવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત મોરબી જિલ્લામાં ગ્રામ્ય તથા શહેર વિસ્તારમાં સ્વચ્છતા...
મહિલાઓનું સ્વાસ્થ્ય અને સશક્તિકરણ આપણા પરિવારો, સમુદાયો અને સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ માટે કેન્દ્ર સ્થાને છે. આ સંદર્ભમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન ‘સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન’ નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લામાં આરોગ્ય શિબિરનું આયોજન...