મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલ પાલણપીરની જગ્યાને પવીત્ર યાત્રાધામ વિકાસમાં સમાવવા સરકારને પત્ર લખી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય કમળાબેન અશોકભાઈ ચાવડાએ રજૂઆત કરી છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં હડમતીયા ગામે સમગ્ર ગુજરાત રાજયનાં સમસ્ત અનુસૂચિત જાતિની ધાર્મીક આસ્થાનુ પ્રતિક એવા પાલણપીરની સમાધી સ્થાન મંદીર આવેલુ છે. જયાં મોટી સંખ્યામાં દુર-દુરથી લોકો દર્શનાર્થે પધારતા હોય છે દર વર્ષે ભાદરવા વદ નોમ,દસમ અને અગીયારસનો ત્રણ દિવસીય સુપ્રસિધ્ધ મેળો પણ આ જગ્યા ઉપર ભરાય છે જે ત્રી-દિવસીય મેળામાં લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય ધાર્મીક સ્થાનનો વિકાસ કરવો ખુબ જરૂરી હોય તેમજ લોક લાગણી હોય અદરવું હળમતીયા મુકામે આવેલ પાલણપીર જગ્યાને પવિત્ર યાત્રાધામ વિકાસની ગ્રાન્ટમાં સમાવેશ કરી ધાર્મીક જગ્યાનો વિકાસ કરવા લાગણી સભર નમ્ર રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦ નું ડીઝલ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ રાજસ્થાન રહેતા અને ડ્રાઈવીંગ કરતા જીતેન્દ્રસિંગ લાદુસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)...
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...