મોરબી: હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે પરીણીતાએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ છોટાઉદેપુર જિલ્લાના ગડોથ ગામના રહેવાસી ઉર્મીલાબેન કરણભાઈ નાયક (એ.વ.૧૮) હાલ રહે હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની સીમમાં ધર્મેન્દ્રભાઈ વશરામભાઇ કડીવાલની વાડી વાળાએ ગત તા.૨૯-૦૯-૨૦૨૨ ના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારે પોતાના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનુ માઠુ લાગી જતા પરીણાતાએ પોતાની જાતે જંતુનાશક ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જિલ્લાની વિકાસ વાટિકાનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોની વિકાસ ગાથાને વણી...
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૫ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજે...
મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર ચામુંડા હોટલ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયેલ હોય જેથી આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા...