મોરબી: મોરબીના લાલપર ગામે પાયોનીયર સીરામીકના કારખાનામાં માટી ખાતા વિભાગના સ્પેડાયર વિભાગમાં દોઢ વર્ષના બાળક ઉપર લોડરનુ વ્હીલ ફેરવી મોત નિપજાવી લોડર ચાલક સ્થળ પરથી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના બાળકના પિતાએ આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ બિહારના રહેવાસી અને હાલ મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ પાયોનીયર સીરામીકના કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા મીથલેશ ચન્દ્રીકાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૪) એ આરોપી લોડર રજીસ્ટર નંબર GJ-36-S-2368 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧-૧૦-૨૦૨૨ ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યા પહેલાંના કોઈપણ સમયે
ફરીયાદી તથા ફરીયાદીની પત્ની બન્ને લાલપર ગામની સીમમાં આવેલ પાયોનીયર સીરામીકના કારખાનાના માટી ખાતા વિભાગમા આવેલ સ્પેડાયર વિભાગમા મજુરી કામ કરતા હતા.
ત્યારે ફરીયાદીનો દિકરો છોટુ ઉ.વ-૧.૫ (દોઢ વર્ષ) નો ત્યા સ્પેડાયર વિભાગમા રમતો હતો ત્યારે લોડર રજીસ્ટર નંબર- GJ- 36- S- 2368 નો ચાલક આરોપી તેનુ લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે પાછળ જોયા વગર રીવર્સ ચલાવી આવી ત્યા રમતા ફરીયાદના દિકરા છોટુના માથાના ભાગે લોડરનુ મોટુ વ્હીલ ચડાવી દઇ એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી પોતાના હવાલા વાળુ લોડર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ મૃતક બાળકના પિતાએ આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪ (અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...