મોરબી: મોરબીના લાલપર ગામે પાયોનીયર સીરામીકના કારખાનામાં માટી ખાતા વિભાગના સ્પેડાયર વિભાગમાં દોઢ વર્ષના બાળક ઉપર લોડરનુ વ્હીલ ફેરવી મોત નિપજાવી લોડર ચાલક સ્થળ પરથી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના બાળકના પિતાએ આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ બિહારના રહેવાસી અને હાલ મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ પાયોનીયર સીરામીકના કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા મીથલેશ ચન્દ્રીકાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૪) એ આરોપી લોડર રજીસ્ટર નંબર GJ-36-S-2368 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧-૧૦-૨૦૨૨ ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યા પહેલાંના કોઈપણ સમયે
ફરીયાદી તથા ફરીયાદીની પત્ની બન્ને લાલપર ગામની સીમમાં આવેલ પાયોનીયર સીરામીકના કારખાનાના માટી ખાતા વિભાગમા આવેલ સ્પેડાયર વિભાગમા મજુરી કામ કરતા હતા.
ત્યારે ફરીયાદીનો દિકરો છોટુ ઉ.વ-૧.૫ (દોઢ વર્ષ) નો ત્યા સ્પેડાયર વિભાગમા રમતો હતો ત્યારે લોડર રજીસ્ટર નંબર- GJ- 36- S- 2368 નો ચાલક આરોપી તેનુ લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે પાછળ જોયા વગર રીવર્સ ચલાવી આવી ત્યા રમતા ફરીયાદના દિકરા છોટુના માથાના ભાગે લોડરનુ મોટુ વ્હીલ ચડાવી દઇ એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી પોતાના હવાલા વાળુ લોડર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ મૃતક બાળકના પિતાએ આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪ (અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી માળીયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના ગ્રામજનોને હાઈવે પર જવા ગામ આખાનો આંટો ફરવા જવુ પડતું હોય જેથી ગ્રામ પંચાયત સરપંચે મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરી બંધ કટ રસ્તો ચાલુ કરવા માંગ કરાઈ છે.
કટ બંધના કારણે ટીંબડી ગામના લોકોને મહેન્દ્રનગર સુધીનો થતો ધરમ ધક્કો ગ્રામજનો માટે માથાનો દુખાવો...
મોરબી: છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્ર પર મોરબીમાં સૌથી વધુ બાળકોને ટીપા પીવડાવ્યા બાદ આ વખતે પણ શુક્રવારે પુષ્યનક્ષત્ર પર આયુ જીવન આયુર્વેદ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તા. 25 જુલાઈ શુક્રવારના રોજ 83 મો વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે. સમગ્ર ગુજરાતમાં એક જ સ્થળે...
મોરબી નગરપાલિકાને 30 ઓક્ટોબર 2022ની ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટની ટકોર અને ચાલી રહેલી સુનાવણીના પગલે 11 એપ્રિલ 2023ના રોજ સુપરસીડ (ડિસ્કોલિફાઇડ) કરવામાં આવી હતી.
સુપરસીડ થયા બાદ ત્યારના કાઉન્સિલરોને ઘરે બેસાડી દેવામાં આવ્યા હતા. અને છેલ્લા બે વર્ષથી કેટલાક પૂર્વ કાઉન્સિલર લોકો વચ્ચે થી ગુમ હોઈ તેવો ઘાટ...