મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા મોતીભાઈ મેઘજીભાઈ નમેરા (ઉ.વ.૬૫) ગત તા. ૩૦-૦૯-૨૦૨૨ ના રોજ પોતાની વાડીએ મગફળીમાં પાણીના નાકા વાળાતી વખતે કોઈ ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે મોરબી સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી: શિક્ષકોએ સમાજના ઘડવૈયા છે, શિક્ષકોનું કામ જીવંત વ્યક્તિત્વ સાથેનું છે, શિક્ષકોનું કુમળા છોડની જેમ બાળકોની દેખભાળ કરવાનું છે શિક્ષકો પોતાના સેવાકાળ દરમ્યાન બાળકોનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરે છે.
માતા-પિતા પોતાના પાંચ વર્ષના બાળકને શિક્ષકોના હાથમાં સોંપે છે, શિક્ષકો પણ બાળકોનું પોતાના બાળકની જેમ દેખરેખ રાખી લાલન,...
મોરબીના ગામ ઓસીસ સિરામિક નજીક અશ્વમેઘ હોટલ પાછળ કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી ગામ ઓસીસ સિરામિક પાસે અશ્વમેઘ હોટલ પાછળ મનકર વસોનીયાનો ૦૨ વર્ષનો દિકરો લકી કોઈ કારણસર પાણીમાં પડી ડુબી જતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ...
હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં મામા દેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન રણછોડગઢ ગામની સીમમાં મામા દેવ મંદિરની સામે લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો...