મોરબી: માળિયા (મી) તાલુકાના વીર વીદરકા ગામે કળબના પૈસા બાકી નીકળતા હોય જેની માંગણી કરતા સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઇ બે શખ્સોએ આધેડને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના પંચવટી (ખીરઇ) ગામે રહેતા ભુદરભાઈ કાનજીભાઇ સુરાણી (ઉ.વ.૬૦) એ આરોપી રાજુભાઇ માલાભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ માલાભાઈ ભરવાડ રહે બંને વીર વીદરકા ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વીર વીદરકા ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે ફરીયાદીએ આરોપી રાજુભાઇ ભરવાડને કળબ વેચાતી આપેલ હોય અને જેના પૈસા લેવાના બાકી હોય જે પૈસા લેવા જતા અને માંગણી કરતા સારૂ નહી લાગતા આરોપી રાજુભાઇ ભરવાડ તથા આરોપી ઘોઘાભાઈ ભરવાડે ભુંડા બોલી ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરતા આરોપી રાજુભાઇ ભરવાડના હાથમા પહેરેલ કડુ માથામા વાગી જતા સામાન્ય ઇજા થયેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભુદરભાઈ કાનજીભાઇ સુરાણીએ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે...
વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા...