મોરબી: માળિયા (મી) તાલુકાના વીર વીદરકા ગામે કળબના પૈસા બાકી નીકળતા હોય જેની માંગણી કરતા સારૂ ન લાગતા ઉશ્કેરાઇ જઇ બે શખ્સોએ આધેડને ગાળો આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના પંચવટી (ખીરઇ) ગામે રહેતા ભુદરભાઈ કાનજીભાઇ સુરાણી (ઉ.વ.૬૦) એ આરોપી રાજુભાઇ માલાભાઈ ભરવાડ અને ઘોઘાભાઈ માલાભાઈ ભરવાડ રહે બંને વીર વીદરકા ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વીર વીદરકા ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે ફરીયાદીએ આરોપી રાજુભાઇ ભરવાડને કળબ વેચાતી આપેલ હોય અને જેના પૈસા લેવાના બાકી હોય જે પૈસા લેવા જતા અને માંગણી કરતા સારૂ નહી લાગતા આરોપી રાજુભાઇ ભરવાડ તથા આરોપી ઘોઘાભાઈ ભરવાડે ભુંડા બોલી ગાળો આપતા ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશકેરાઇ જઇ ઝપાઝપી કરતા આરોપી રાજુભાઇ ભરવાડના હાથમા પહેરેલ કડુ માથામા વાગી જતા સામાન્ય ઇજા થયેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભુદરભાઈ કાનજીભાઇ સુરાણીએ માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના બગથળા ગામે મહિલાનુ બકરીનું બચ્ચું તેમની બાજુમાં રહેતા તેમના કાકાજી સસરાની વાડીમાં જતુ રહેતા જે બાબતનો ખાર રાખી ચાર શખ્સો દ્વારા મહિલાને ગાળો આપી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા સરોજબેન સરવૈયા (ઉ.વ.૩૬)...
મોરબીના લીલાપર રોડ પર નિલકમલ સોસાયટીમાં પોતાના રહેણાંક મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હોય તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ નિલકમલ સોસાયટીમાં રહેતા અલ્પાબેન અરવિંદભાઈ જાદવ ઉ.વ.૨૫વાળી પોતાના મકાને ઝાડવાને ઝેરી દવા છાંટતા હતા તે દરમ્યાન ઝેરી દવાની...