મોરબી: મોરબીમાં ઘણા લાંબા સમયથી પીઆઈની બદલીઓ થતાં જગ્યાઓ ખાલી પડી હતી. જેમાં આજે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેર એ ડિવિઝનનાં સ્ટ્રીટ પીઆઈની છબી ધરાવતા પીઆઈ એમ પી પંડ્યાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જેમાં એ ડિવિઝનમાં નવા પીઆઈ તરીકે એચ. એ.જાડેજા ની નિમણુક કરવામા આવી છે તે ઉપરાંત લીવ રિઝર્વ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચાર્જમાં રહેલા કે. એ.વાળાને કાયમી કરી મોરબી તાલુકા પીઆઈ તરીકે નિમણુક કરવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈની પણ આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં લીવ રિઝર્વ અને ટંકારા ચાર્જમાં રહેલા એચ.આર.હેરભા ને ટંકારા,સી.એમ.કરકર ને રીડર પીએસઆઈ અને એમ.જે.ધાંધલ ને હળવદ પોલીસ સ્ટેશનમાં નિમણુક આપવામાં આવી છે.
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે...
વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હૉલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા...