મોરબી: મોરબીમાં ઘણા લાંબા સમયથી પીઆઈની બદલીઓ થતાં જગ્યાઓ ખાલી પડી હતી. જેમાં આજે મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેર એ ડિવિઝનનાં સ્ટ્રીટ પીઆઈની છબી ધરાવતા પીઆઈ એમ પી પંડ્યાને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જેમાં એ ડિવિઝનમાં નવા પીઆઈ તરીકે એચ. એ.જાડેજા ની નિમણુક કરવામા આવી છે તે ઉપરાંત લીવ રિઝર્વ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ચાર્જમાં રહેલા કે. એ.વાળાને કાયમી કરી મોરબી તાલુકા પીઆઈ તરીકે નિમણુક કરવામાં આવી છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈની પણ આંતરીક બદલીઓ કરવામાં આવી છે જેમાં લીવ રિઝર્વ અને ટંકારા ચાર્જમાં રહેલા એચ.આર.હેરભા ને ટંકારા,સી.એમ.કરકર ને રીડર પીએસઆઈ અને એમ.જે.ધાંધલ ને હળવદ પોલીસ સ્ટેશનમાં નિમણુક આપવામાં આવી છે.
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...
ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઇનર બ્રીજનું માર્ગ અને...