મોરબી: મોરબીમાં પીપળીયા ચાર રસ્તા નજીક અર્જુન એન્ટરપ્રાઈઝ કોલસાના ડેલાની બહાર રોડ પર ટ્રક ઉપર ત્રાલપત્રી ઢાકતા ટ્રક ઉપરથી નીચે પટકાતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશના મીરજાપુર જીલ્લાના પહાડી ગામે રહેતા સુનીલકુમાર કમલપ્રસાદ દુબે ઉ.વ.૪૫ વાળો પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા અર્જુન એન્ટરપ્રાઈઝ કોલસાના ડેલાની બહાર રોડ ઉપર ટ્રકમાં ત્રાલપત્રી ઢાકતા ટ્રક ઉપરથી નીચે પડી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાને સિવિલ હોસ્પિટલમાંથી અમુક દર્દીઓના સગાઓ દ્વારા ફરિયાદો કરવામાં આવેલ હતી. જેવી કે પ્રસૂતિ બાદ મહિલાઓને ચલાવીને બીજા અલગ વોર્ડમાં લઈ જવામાં આવતી હોઈ, કોઈ વ્હીલચેર કે સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. તેમજ પીએમ રૂમ પાસે મસમોટા ખાડાઓ હતા.
ઇમરજન્સી એક્સિટ લખેલા દરવાજાઓને...
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી દ્વારા દીકરીઓને આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો અને દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન...