મોરબી: મોરબીના મકનસર ગામની સીમમાં વીરજીભાઈની વાડીમાં કામ કરતા હોય ત્યારે અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના રફાળીયા ગામે રહેતા રાજુબેન ભુપતભાઇ ગમારા (ઉ.વ.૩૩) ને ગત તા. ૦૬-૧૦-૨૦૨૨ ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ વીરજીભાઈની વાડીમાં મકનસર ગામની સીમમાં કામ કરતા હતા તે દરમ્યાન અચાનક ઈલેક્ટ્રીક શોક લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
હળવદ શહેરમાં આવેલ આંબેડકર કોમ્પલેક્ષ સામે વાંસગી પાન પાસે યુવકના પરિવારને રાઠોડ પરિવાર સાથે જૂના ઝઘડાઓ થયેલ હોય જેનો ખાર રાખી યુવકને તથા સાથીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ બસ સ્ટેન્ડ પાછળ રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ...