મોરબી: હળવદ 108ની ટીમના કર્મચારીઓની એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે જેમાં હળવદ ખાતે અકસ્માતમાં ઘવાયેલા યુવાન પાસે રહેલા રોકડ રૂ.32 હજાર તથા મોબાઇલ ફોન સહિતની ચીજવસ્તુઓ 108ની ટીમ દ્વારા અકસ્માતનો ભોગ બનનાર યુવકનાં પરીવારજનોને સુપ્રત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ હળવદ 108ની ટીમના ઇએમટી હરેશભાઈ અને પાઇલોટ ગણપતભાઇને ફોન આવ્યો હતો કે હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ શિવ મંદિર સામે એક બાઈક અકસ્માત સર્જાતા બાઈક સવારને ઇજા પહોચી છે ફોન બાદ 108ની ટીમ તુરંત ઘટના સ્થળે પહોચી ઈજાગ્રસ્ત અવચરભાઈ કુમાભાઈ વાઘેલાને તાત્કાલીક સારવાર આપી હોસ્પિટલ ખાતે પોહચાડવામા આવ્યા હતા. તે દરમિયાન અવચરભાઇના ખિસ્સામાંથી રૂ. ૩૨૦૦૦ રોકડા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે રૂપિયા હરેશભાઈ અને ગણપતભાઈએ રોકડ રકમ અને મોબાઈલ ફોન તેમના પરિવારજનોને સુપ્રત કરી દેશ અને સમાજને એક અનેરૂં પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું.
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું
ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન
જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી - પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં...
મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ...