મોરબી: ગઈકાલના રોજ મોડી સાંજે માળીયા(મી)નજીક આવેલ અણિયારી ટોલનાકા પરથી ટ્રક લઈને પસાર થતા એક ટ્રક ચાલકને ટોલકર્મીઓએ માર માર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો જેથી રોષે ભરાયેલા ટ્રક ચાલકોએ ૧૫૦ કરતા વધુ ટ્રક રોડ પર જ ઉભા રાખી હોબાળો મચાવ્યો હતો.જેને પગલે દસ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ બનાવ અંગે જાણ થતા જ માળીયા (મી) પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા પરંતુ ટ્રક ચાલકો પોતાની વાત પર અડગ રહેતા અંતે કડક પગલા લેવા માટે માળીયા પોલીસની સમજાવટ અને મોરબીના ન્યૂઝ18 ગુજરાતીના પત્રકાર અતુલભાઈ જોશીએ ફરિયાદ નોંધાવવામાં સાથે આવવાની સહમતી દર્શાવતા ટ્રક ડ્રાઈવરોએ રસ્તો ખુલ્લો કરવા સહમતી દર્શાવી હતી અને માળીયા પોલીસની ભારે જહેમત બાદ ત્રણ થી ચાર કલાક બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતા.
તેમજ ભોગ બનનાર ટ્રક ચાલક ધનાભાઈ રબારી ને સાથે લઈ જઈ ને માર મારનાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી ત્રણ આરોપી સીદીક હબીબભાઈ મોવર(ધંધો .સિક્યુરીટી ગાર્ડ,રહે.નવાગામ તાં.માળીયા),સીદીક કરીમભાઈ મોવર(ધંધો.સિક્યુરિટી ગાર્ડ,રહે.નવા અંજીયાસર તા.માળીયા) અને યારમામદ શેરાલિન મોવર(ધંધો.સિક્યુરિટી ગાર્ડ.રહે.વિરવિદરકા તા.માળીયા)વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું
ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન
જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી - પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં...
મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ...