મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક ઝઘડો કરતા હતા ત્યારે તેઓને છોડવવા વચ્ચે પડતાં યુવકને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર (ઉ.વ.૧૮) એ તેમના જ ગામના આરોપી રાજુભાઇ વસ્તાભાઈ પરમાર, અર્જન રાજુભાઇ પરમાર તથા ક્રિષ્ના રાજુભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક આરોપીઓ ફરીયાદીના કાકાના દીકરા સોહન તથા ભાઇ યુવરાજ તથા કાકા પ્રવિણ દેવજીભાઈ પરમાર સાથે ઝધડો કરતા હોય જેઓને છોડાવવા ફરીયાદી વચ્ચે પડતા આ ત્રણેય જણાએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક તથા રોલીંગ પેપરનું વેંચાણ કરતા બે ઈસમો મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેઈડ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે ઈસમો પાસેથી નશાકારક ગોગો...
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું
ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન
જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી - પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં...
મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.