મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક ઝઘડો કરતા હતા ત્યારે તેઓને છોડવવા વચ્ચે પડતાં યુવકને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર (ઉ.વ.૧૮) એ તેમના જ ગામના આરોપી રાજુભાઇ વસ્તાભાઈ પરમાર, અર્જન રાજુભાઇ પરમાર તથા ક્રિષ્ના રાજુભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક આરોપીઓ ફરીયાદીના કાકાના દીકરા સોહન તથા ભાઇ યુવરાજ તથા કાકા પ્રવિણ દેવજીભાઈ પરમાર સાથે ઝધડો કરતા હોય જેઓને છોડાવવા ફરીયાદી વચ્ચે પડતા આ ત્રણેય જણાએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...