મોરબી: ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક ઝઘડો કરતા હતા ત્યારે તેઓને છોડવવા વચ્ચે પડતાં યુવકને ત્રણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે દેવીપૂજક વાસમાં રહેતા એગરાજભાઈ ભાઈલાલભાઈ પરમાર (ઉ.વ.૧૮) એ તેમના જ ગામના આરોપી રાજુભાઇ વસ્તાભાઈ પરમાર, અર્જન રાજુભાઇ પરમાર તથા ક્રિષ્ના રાજુભાઇ પરમાર વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧- ૧૦- ૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે છતર ગામે દેવીપૂજક વાસ અબ્દુલભાઈની દુકાન નજીક આરોપીઓ ફરીયાદીના કાકાના દીકરા સોહન તથા ભાઇ યુવરાજ તથા કાકા પ્રવિણ દેવજીભાઈ પરમાર સાથે ઝધડો કરતા હોય જેઓને છોડાવવા ફરીયાદી વચ્ચે પડતા આ ત્રણેય જણાએ ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુઢ ઇજાઓ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી મહાનગરપાલિકા ની ફુડ શાખા દ્વારા શહેરના મીઠાઈ ફરસાણના વિક્રેતાઓ હોટલ- રેસ્ટોરન્ટ માં ખાદ્ય પદાર્થ નું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન લાયસન્સ સ્વચ્છતા સહિતની બાબતોની ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં મીઠાઈ- ફરસાણાના ધંધાર્થી હોટલ રેસ્ટોરન્ટ સહિત 29 જગ્યા પર ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે વિઝીટ કરી...
આજે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે CGWB (Central Ground Water Board), WCR ના અમદાવાદ થી પધારેલા અધિકારીઓ ડૉ. રતિકાંત નાયક – પ્રાદેશિક નિયામક, બિસ્વરૂપ મહાપાત્ર – સાયન્ટિસ્ટ, સદ્દામ હુસૈન સાયન્ટિસ્ટ અને પ્રબોધ કુમાર કુશ્વાહા – STA ની ઉપસ્થિતિમાં જાગૃતિ કાર્યક્રમ તથા ઇન્ટરએક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું.
આ ઇન્ટરએક્ટિવ સેશનમાં સિરામિક...