મોરબી: મોરબીના રોહીદાસપરામાં શેરીમાં એંઠવાડો નાખવા જેવી નજીવી બાબતે બે પક્ષ વચ્ચે છૂટા હાથે મારામારી થઈ હતી જેમાં બંને પક્ષો દ્વારા એક બીજા વિરુદ્ધ સામ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રોહીદાસપરા મેઈન રોડ બાલમંદિરની બાજુમાં રહેતા કેસુરભાઈ અમરાભાઇ સોલંકી (ઉ.વ.૬૨) એ આરોપી રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ, તુષાર દિપકભાઇ ચૌહાણ, પ્રથમ દિપકભાઇ ચૌહાણ, જીગુભાઇ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ, મયુર પરસોતમભાઇ ચૌહાણ, મીનાબેન પરસોતમભાઇ ચૌહાણ રહે બધા રહે રોહીદાસપરા,વિશીપરા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીના પત્ની શેરીમા એઠવાડો નાખવા જતા આરોપી મીનાબેન પરસોતમભાઇ ચૌહાણ નાઓને સારૂ નહી લાગતા ફરીયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી બિભત્સ ગાળો આપતા ફરીયાદી તથા સાહેદે ગાળો આપવાનીના પાડતા આરોપી મીનાબેન એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને સાહેદ સાથે ઝઘડો કરવા લાગતા જે ઝઘડા દરમ્યાન આરોપી મીનાબેનના કૌટુંબીક ભાઇઓ આરોપી રવિભાઇ પરસોતમભાઇ ચૌહાણ, તુષાર દિપકભાઇ ચૌહાણ, પ્રથમ દિપકભાઇ ચૌહાણ, જીગુભાઇ હકાભાઇ ચૌહાણ, કિશોરભાઇ રમેશભાઇ ચૌહાણ, મયુર પરસોતમભાઇ ચૌહાણના આવી લાકડાના ધોકા તથા એલ્યુમીનીયમની ચોરસ પટ્ટી તથા છુટા પથ્થરના ઘા મારી ફરીને માથાના ભાગે તથા સાહેદોને માર મારતા નાની મોટી ઇજાઓ પહોંચાડી હોવાની કેસુરભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જ્યારે સામે પક્ષે મોરબીના રોહીદાસપરા મેઈન રોડ વિસીપરામા રહેતા કાન્તાબેન પરસોત્તમભાઈ ચોહાણ (ઉ.વ.૫૦)એ આરોપી કેશુભાઇ ઉર્ફે કારુ અમરાભાઇ સોલંકી, સીધ્ધરાજભાઇ તુલસીભાઇ સોલંકી, વિનોદભાઇ અમરાભાઇ સોલંકી, મુકેશભાઇ વિનોદભાઇ સોલંકી, પુષ્પાબેન કેશુભાઇ સોલંકી, અભીલાસાબેન તુલસીભાઇ સોલંકી રહે.બધા રહે, રોહીદાસપરા મેઇન રોડ વીશીપરા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના સાળા નવ વાગ્યાના અરસામાં ફરીયાદીના મકાન પાસે આરોપી પુષ્પાબેન એઠવાળ નાખતા ફરીયાદીએ એઠવાળ નાખવાની ના પાડતા આરોપીને સારુ ન લાગતા ફરીયાદી સાથે તેમજ ફરીયાદીના જેઠના દિકરો તથા ફરીયાદીની દિકરી સાથે બોલાચાલી કરી ઝગડો કરી બીભત્સ ગાળો આપી ફરીયાદીને તેમજ સાહેદને છુટા પથરના ઘા મારી તેમજ ઢીકા પાટુનો મારમારી આરોપીઓએ ગેરકાયદેશર મંડલી રચી આરોપી કેશુભાઈએ પાઇપ ધારણ કરતા તેમજ આરોપી મુકેશભાઈએ હાથમા તલવાર ઘારણ કરતા તેમજ અન્ય આરોપીઓએ છુટા પથર તેમજ ઇંટુના ઘા મારી ફરીયાદી તેમજ સાહેદોને મુંઢ ઇજા પહોંચાડી હોવાની કાન્તાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
આ બનાવ અંગે બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...