મોરબી: હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ પર સુખપર ગામના બસ- સ્ટેન્ડ નજીક રોડ ઉપર ટ્રકે અડફેટે લેતા રાહદારીનું મોત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ સુ.નગર જીલ્લાના સતાપરના રહેવાસી અને હાલ પાંડાતીરથ તા. હળવદમાં રહેતા રઘુભાઈ ડાયાભાઇ મકવાણાએ આરોપી ટ્રક કન્ટેનર ટ્રક રજીસ્ટર નંબર – GJ-05-BT-3171 ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૦૮-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરોપી કન્ટેનર ટ્રક રજીસ્ટર નંબર GJ-05 -BT- 3171 ના ચાલક પોતાના હવાલાવાળુ કન્ટેનર ટ્રક પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીપુર્વક ચલાવી આવી આ કામના ફરીયાદીના પિતા ડાયાભાઇ ગોવિંદભાઇ મકવાણા ઉ.વ.૬૨ વાળા પગે ચાલીને જતા હતા તેને હડફેટે લઇ ઠોકર મારતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. તેમજ આરોપી પોતાનુ ટ્રક લઇ નાસી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી ટ્રક ચાલકને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...