મોરબી: આગામી તારીખ 19 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન મોરબીના લીલાપર રોડ પર આવેલા રાધે પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે.
આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. સાથે જ મારુતિ સાઉન્ડનો પણ સહકાર આ સંતવાણી અને લોક ડાયરામાં મળી રહેશે. ત્યારે પાંજરાપોળના લાભાર્થે યોજાઇ રહેલા આ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં જે કાંઈ ઘોર સ્વરૂપે આવક થશે એ પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવશે, તેમજ લોક ડાયરામા પધારવા સૌને સવજીભાઈ બારૈયા તથા અરવિંદભાઈ બારૈયા ગણેશ મંડપ મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના મકનસર ગામે કોઈ કારણસર દવા પી જતા સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા સુરેશભાઈ હીરાભાઈ ફાલેર (ઉ.વ.૫૦) એ કોઈ કારણસર પોતાના ઘરે દવા પી જતા પ્રથમ સારવાર ખાનગી હોસ્પીટલ ખાતે ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર...
મોરબીના લાતી પ્લોટમાં શેરી નં -૦૭ માં આરોપીની ખુલ્લી ઓરડીમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલો કિં રૂ. ૨૪૦૦૦ નો મુદામાલ સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ...
મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરમા ખોડીયાર માં ના મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૬૮૦૦ નાં મુદામાલ સાથે સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દીરાનગરમા ખોડીયાર માં ના...