મોરબી: આગામી તારીખ 19 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન મોરબીના લીલાપર રોડ પર આવેલા રાધે પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે.
આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. સાથે જ મારુતિ સાઉન્ડનો પણ સહકાર આ સંતવાણી અને લોક ડાયરામાં મળી રહેશે. ત્યારે પાંજરાપોળના લાભાર્થે યોજાઇ રહેલા આ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં જે કાંઈ ઘોર સ્વરૂપે આવક થશે એ પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવશે, તેમજ લોક ડાયરામા પધારવા સૌને સવજીભાઈ બારૈયા તથા અરવિંદભાઈ બારૈયા ગણેશ મંડપ મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે, એચસીજી હોસ્પિટલ્સ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એચસીજી ડોકટરોની હાજરીમાં સર્વાઈવર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એચસીજી ખાતે સફળતાપૂર્વક કેન્સરની સારવાર પૂર્ણ કરનારા દર્દીઓને એકત્ર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ જાગૃતિ ફેલાવવા, વહેલા નિદાનને પ્રોત્સાહન...
“ગિરનારી મંડળ” નામનું વોટસઅપ ગ્રુપ વર્ષ ૨૦૧૫થી સતત સક્રિય રીતે કાર્યરત છે, જેની સ્થાપના રાજેશભાઈ ગોહેલ દ્વારા થયેલ.આ મંડળનું મુખ્ય ધ્યેય વનસ્પતિ પરિચય, આયુર્વેદનો શાસ્ત્રોક્ત પ્રચાર, લોકોને સાચી અને સંયમિત ચિકિત્સાની સમજ આપવી, તેમજ વનસ્પતિઓનો ઔષધીય ઉપયોગ, સંવર્ધન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. સાથે સાથે, સમાજમાં પર્યાવરણના મહત્વ...